SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી છે તેથી ક્ષણિક છે. તે ચિત્તની શાંતદશા પાસે તુચ્છ છે. ક્લેશ-કષાયરહિત નિર્દોષ સુખનો સ્વાદ અનેકગણો છે. જગતના જીવોને ઇન્દ્રિયોના વિષયોમાંથી મેળવવું શું છે? “સુખ' ! હવે જો તે તેવા તુચ્છ પ્રકારો વગર સીધું જ મળતું હોય તો શા માટે ઇન્દ્રિયોની ગુલામી કરવી ? સ્થળકાળની બાધારહિત પ્રશમસુખ, આંતરિક નિર્મળતાનું સુખ મળ્યા પછી વિવિધ વિષયોમાંથી મળતો વિકૃત સ્વાદ મુનિને અકારો લાગે છે. તેથી તેઓ તેવા પ્રકારોનો સર્વથા ત્યાગ કરે છે. “પ્રશમ = ઉત્કૃષ્ટ કોટિની સમતા. જેના રાગદ્વેષ હણાઈને સમભાવ પ્રગટ થયો છે તેવા મુનિઓ જ તે દશાના સુખને જાણે પ્રશમ = વૈરાગ્ય. વૈરાગ્યની ભાવના વાસનારૂપ બની જાય છે એટલે વૈરાગ્ય સ્થિર બને, જેમ જેમ વૈરાગ્ય વાસનારૂપ (ભાવિત) બનતો જશે તેમ તેમ રાગદ્વેષની વાસના ઢીલી પડતી જશે. રાગદ્વેષની અનાદિકાલીન વાસનાઓ પર મન, વચન, કાયાની શુદ્ધિ વડે પ્રહાર કરો. કે જેથી રાગ-વાસનાઓનું વિસર્જન થઈ જાય, દ્વેષની ભડભડતી આગ બુઝાઈ જાય. વૈરાગ્યની ભાવનાનો વિસ્તાર માધ્યચ્ય : ન રાગનો પક્ષ ન દ્વેષનો પક્ષ. વૈરાગ્ય : રાગદ્વેષની મંદતા, ઇનિષ્ટમાં ન રાગ ન ટ્વેષ. વિરાગતા : અનુકૂળતામાં રાગ નહિ, પ્રતિકૂળતામાં દ્વેષ નહિ. શાંતિ : રાગદ્વેષના ઉદયનો અભાવ ઉપશમ : રાગદ્વેષનું દબાવું. નિમિત્ત મળતાં ઊઠે. પ્રશમ : રાગદ્વેષનો ઉત્કૃષ્ટ શમ આત્મભાવની વિશુદ્ધિ. દોષક્ષય : રાગદ્વેષનો આત્યંતિક ઉચ્છેદ વૈરાગ્ય) હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy