SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર અશરણ છે. તેથી મુનિઓ, તત્ત્વ ચિંતકો સંસારના સાધનો પર નિશ્ચિત નથી. તે તો આત્મસ્વરૂપને પામીને નિઃશંક અને નિર્ભય થયા છે. વિચારશુદ્ધિ વગર જીવને એવી નિઃશંક, નિર્ભય કે નિર્મલ દશા પ્રાપ્ત થવી સંભવ નથી. પરપદાર્થના સંગે, મોહાધીન જીવને વિચારબળ દુર્લભ છે, પછી તત્ત્વોપલબ્ધિ તો દુર્લભ છે. વિષયાદિ ઇચ્છિત ઘણાં કાર્યોના વિકલ્પો કરે, તે પદાર્થ ભોગવી પછી નિવૃત્ત થઈશ એમ કાળનો ભરોસો રાખવો તે હિતાવહ નથી. વળી વિષયની મૂછ શમી જાય તે કઠણ છે કેમ કે આત્મવિચારના બળ વગર તે વિષયાદિ ઇચ્છાઓ શમી જવી, નિર્મૂળ થવી સંભવિત નથી. વળી તેથી તો વિષયઇચ્છા નિવૃત્ત થવાને બદલે તેમાં વિશેષપણું વર્ધમાન થાય છે. અહોનિશ, જાગતા કે ઊંઘતા આ કરું કે તે કરું? આવા અશાંત મનમાં શુભવિચાર ક્યાંથી ઊપજે! અને શુભવિચાર વગર, શુભભાવ વિના તત્ત્વ પામવું દુર્લભ છે. પ્રારંભમાં મનના સ્તર પર સ્વસ્થતા થઈ શકે. એક મંત્રનો જાપ અભ્યસ્ત થઈ ગયો હોય, ક્યારેક મન વિચલિત બનેલ હોય, તે વખતે સાધક આ મંત્રનો જાપ કરે તો તેનું ચિત્ત સ્થિર-શાંત બની જાય.” જીવને કંઈ કરવાનું ચિત્તમાં રહ્યા કરતું હોય છે. પણ જીવને જો તત્ત્વની શ્રદ્ધા પ્રત્યે, રૂચિની જિજ્ઞાસા થાય તો તે બાજુ દષ્ટિ વળે. જેને વર્તમાન જીવનમાં દુઃખ, રાગ, દ્વેષ આદિનો અનુભવ થાય ત્યારે સાચી પાત્રતા માટે અસંતોષ પેદા થાય. તે આત્માને એવી અવદશામાંથી છૂટવાનું અને તેને સ્થાને સાચા સુખને મેળવવાની જિજ્ઞાસા વૃદ્ધિ પામે. તે જીવ પછી મોક્ષમાર્ગે જવાનો પુરુષાર્થ કરે છે. તે તત્ત્વચિની જિજ્ઞાસાના પોષણ માટે સત્સમાગમ અને શાસ્ત્રઅધ્યયન કરીને આંતરિક રુચિને દઢ કરો આ જ જીવનનું કર્તવ્ય છે. હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy