SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ તકલીફ જણાય છે. કારણ કે નિરંતર બહાર ભમતા મનને તે પ્રકારનો ત્યાગ કરી, જ્યાં કોઈ પણ ક્ષણે ગયું નથી તેવા અજ્ઞાત પ્રદેશમાં જવું વસમું લાગે છે. તે આંખો બંધ કરી એકાંતમાં બેસે તો મૂંઝાઈને બહાર દોડી જાય છે. કોઈ માંકડાએ ચણા ભરેલા ઘડામાં હાથ નાંખ્યો. મૂઠીમાં ચણા ભર્યા, હાથ બહાર કાઢવા પ્રયત્નો કર્યા પણ ઘડાનું મોં સાંકડું હતું અને મૂઠી મોટી હતી. ઘણા પ્રયત્ન કરવા છતાં મૂઠી બહાર નીકળી નહિ. જો મૂઠી ખોલે તો ચણા છોડવા પડે. આમ જીવને સંસારસુખની આકાંક્ષા છૂટતી નથી. તેથી આંતરિક સુખ પામતો નથી. એક વાર સત્પુરુષોએ અનુભવે કહેલા આંતરિક સુખ માટે પ્રયત્ન કરે. તે માટે પ્રથમ તો તેને નિર્ણય થવો જોઈએ કે મારું સાચું સુખ મારા જ આત્માના સમભાવમાં રહેલું છે. તેને બહાર શોધવું તે વ્યર્થ છે. ત્યાર પછી તેને આગળનાં સોપાન દેખાય છે. તે સમજે છે કે બહાર એટલે દુન્યવી પદાર્થોમાં સુખનો ભ્રમ, રોગ, જરા અને મરણથી ગ્રસિત એવા દેહમાં સુખનો ભ્રમ. ધન વડે પૂરી થતી વિષયોની કામનામાં સુખ, પરિવારના સ્નેહમાં સુખ, માન મોટાઈમાં સુખ, આમ સુખની વિસ્તરેલી મૃગજળ ભ્રામક છે તેમ માની સદ્ગુરુના બોધ સમજ પેદા કરે, તો પ્રસન્નતા પામે. સમજણના ઘરમાં આવ્યા પછી સાચા સુખને બાધક, સુખના ભ્રમને ત્યજતો જાય. પ્રારંભમાં તે તે પ્રકારોમાં સંક્ષેપ કરે. સંતોની સેવા, શાસ્ત્રબોધ, સદાચારી મિત્રોની સંગત કરી, પવિત્ર અનુષ્ઠાનોનું સેવન કરે આમ કરીને પૌગલિક પદાર્થોની તુચ્છતા સમજી તેના ભોગની ગૌણતા કરે, તેથી ચિત્ત સ્વસ્થતા પામે છે. ત્યાર પછી તેને અંતરિક સુખની અનુભૂતિ થતાં સ્વયં આત્મસુખને વિશેષપણે ચાહે છે.. જેના ચિત્તમાં આંતરિક નિરામય સુખની ઝલક મળી તે સાધક હૃદયપ્રદીપનાં અજવાળાં - ૧૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy