SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મની આખીય ઘટનાશ્રેણી જીવંત થઈ ઊઠશે. એ ગ્રંથ ભણતી વખતે ગુરુદેવ પ્રત્યેનું બહુમાન, પરમાત્મા પ્રત્યેનો અવિહડ ભક્તિભાવ, સાધર્મિકો પ્રત્યેનો મૈત્રીભાવ આ સર્વ પ્રતિબિંબિત થઈ ઊઠશે. ગૌતમસ્વામી ભગવાન અષ્ટાપદની યાત્રાએ ગયા. ત્યાં એક દેવ દર્શનાર્થે આવ્યો હતો. તેણે ગૌતમસ્વામી પાસે આશીર્વાદ અને હિતશિક્ષા માંગી હતી. ગૌતમસ્વામી મહારાજ કહે : ધર્મ એટલે પ્રભુની આજ્ઞાનું પાલન. તે સંયમી જીવનમાં જ પૂર્ણતયા મળે. દેવ પૂછે છે: સંયમી જીવન શી રીતે મળે ? ગૌતમસ્વામી ભગવાને તેને પુંડરીક કુંડરીક અધ્યયન'નો સ્વાધ્યાય કરવાનો કહ્યો. દેવ તો મંડી પડ્યો. રોજે પાંચસો વાર અધ્યયન ઘૂંટે. પાંચસો વર્ષનું આયુષ્ય, તેમાં રોજે પાંચસો વાર સ્વાધ્યાય. ગ્રંથ આત્મપ્રદેશે પ્રદેશે ચૂંટાઈ ગયો. સંયમ સંયમ, ક્યારે મળે? બીજા જન્મમાં વજકુમાર તરીકે જન્મ્યા. જન્મતાં જ દીક્ષા શબ્દ સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. ગત જન્મની સાધના – સ્વાધ્યાય હૃદયમાં જીવંત બની. વજકુમાર વજસ્વામી સાધુ બને. ખરેખર જીવનું સદ્ભાગ્ય હોય અને સદ્દગુરુએ આપેલ એકાદ ગ્રંથ, સદ્ગુરુએ આપેલ એકાદ શ્લોક, સદ્દગુરુએ આપેલ એકાદ મંત્ર ચૂંટાયા કરે, ચૂંટાયા કરે, ચૂંટાયા કરે.” “સાધના પરિપક્વ ક્યારે બને? જો દીર્ઘકાળ કરી હોય. નિરંતર કરી હોય, અને સત્કારપૂર્વક કરી હોય. જન્માતરમાં લઈ જવાનો આ કીમિયો છે. લાખ વાર રટવામાં આવે તો તે શબ્દ જીવનના છેડે યાદ આવે. કોક વાર જપવામાં આવે તો જન્માંતરમાં અચૂક આવે. એક જ સૂત્ર, એક મંત્ર ઘૂંટી ઘૂંટીને આત્મસાત્ કરતા હોય તો આપણા માટે તારનાર બની રહે. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી. હૃદયપ્રદીપનાં અજવાળાં જ ૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy