SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનીઓના જ્ઞાનમાં પ્રગટ થાય છે. તેથી કહ્યું કેઃ ઈક્કવિ નમુક્કરો જિણવર વસહસ્સ વધ્ધ માણસ્મ; સંસાર સાગરાઓ તાઈ નરેવ નારિવા. વળી અનેક પ્રકારના ગ્રંથોને કંઠસ્થ કરે પણ તે ગ્રંથોમાંથી જો આત્મહિતવિષયક પરિણામ ન આવે તો તે વિવિધ પ્રકારનું ગ્રંથાવલોકન પથદર્શક બનવાને બદલે પ્રદર્શન બની લોકરંજનનું કારણ બને છે, તેમાં સાધક કંઈ મેળવતો નથી. ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું સાધુ થઈને બહારથી, દાંભિક અંતરથી રહું ?” ગ્રંથના વિસ્તારની સ્મૃતિ ભરી પણ તેનો બોધ હૃદય ન ધરી, કેવળ લોકરંજનને જીવ કલ્યાણ માનતો રહ્યો. આમ જિંદગીભર ભાર વહન કરવા છતાં જીવ કંઈ ન પામ્યો. ગર્દભની પીઠ પર ચંદનનો ભાર ભર્યો હોય, ત્યારે ગર્દભ તો ભાર જ વહન કરે છે. એને ચંદનના મૂલ્યની ખબર નથી, કે ચંદનની સુવાસને તે જાણતો નથી. તે તો ડફણાં ખાતો કેવળ ભારને જ વહન કરે છે, તેમ ગ્રંથોના અભ્યાસને કેવળ મનોરંજનાર્થે ઉપયોગ કરનાર ભારને જ વહન કરે છે. તેનાં રહસ્યોને જાણતો ન હોવાથી તેને કંઈ પણ પરમાર્થ લાભ થતો નથી. “મારા જ્ઞાન ગુમાનની ગાંસડી ઉતરાવો શિરેથી આજ મારા પુસ્તક પોથાની પોટલી રે ઉતરાવો શિરેથી આજ; બોજો ખેંચી ખેંચી માથું દુઃખે મારું, કાયામાં કળતર થાય, હાં હાંફી મારું હૈયું દુખે, આંખે અંધારાં ઘેરાય ઉતાવો.” કોઈ રોગી દર્દથી પીડાતો હોય, મૃત્યુના ભયથી ઘેરાયેલા હોય તેને સંજીવની, રોગ અને મૃત્યુનિવારક ઔષધ મળી જાય તો તે વિવિધ પ્રકારનાં તુચ્છ ઔષધનું સેવન કેમ કરે ? હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy