SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ આમ ત્રણ ચાર વર્ષ ઘણો પાક ઊતરે પછી જમીનમાં કસ શું રહેશે? આમ માણસ સંસારમાં સદાય રડતો જ રહે છે તેને ક્યાંય શાંતિ નથી. કોઈ જીવ પૂર્વના બળવાન સંસ્કારને કારણે વિશુદ્ધ મનવાળો હોય છે, સરળચિત્ત હોય છે. તેણે આત્મસ્વરૂપ પ્રાપ્તિને લક્ષમાં રાખી પછી ક્રિયામાં, તપ, જપ, વ્રતાદિ ને સાધના કરવી. કારણ કે પૌદ્ગલિક વિષયોની અસારતા સમજાયા વિના પુનઃબંધન ન થાય તેમ ધર્મક્રિયા થતી નથી. જેને વિશુદ્ધ પરિણતિ નથી કે મનની નિર્મળતા નથી તેણે પ્રથમ નીતિમય જીવન ગુજારવું. પછી ગૃહસ્થને યોગ્ય તપ, જપ, વ્રત આદિ ક્રિયાઓ પૂર્ણ ભાવનાથી કરવી. જેથી મન નિર્મળ વિચારશક્તિને લાયક બને. ત્યાર પછી આત્મસ્વરૂપને જાણવા પ્રયત્ન કરે તો સુલભતાથી તે થઈ શકશે. તે તત્ત્વબોધ પરિણામ પામશે. તેની સાધના સાર્થક થશે. - એકની એક વસ્તુ લાંબી ટૂંકી નજરવાળાને એક સરખી જણાતી નથી તેમ જીવોનાં કર્મોના ક્ષયોપશમને કારણે સ્વરૂપ/તત્ત્વનો બોધ એકસરખો થતો નથી. આ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ કે સમ્યગુદૃષ્ટિ પ્રમાણે અધિકારી જીવોને વસ્તુનો બોધ પ્રાપ્ત થાય છે. જેટલી મનની નિર્મળતા તેટલો સ્વરૂપબોધ સુલભ થશે. અન્યથા વૃથા છે. સરોવરનું જળ એક જ છે પરંતુ તેનું પરિણામ જુદા જુદા રૂપે થાય છે. તે પાણી ગાયના પેટમાં જાય તો દૂધરૂપે પરિણમશે. સર્પના પેટમાં જાય તો ઝેરરૂપે પરિણમશે. આંબાને પાવાથી મીઠાશરૂપે પરિણમશે. લીમડાને પાવાથી કડવાશરૂપે પરિણમે છે. આ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ અને સમ્યગુદૃષ્ટિ જીવને યોગ્યતા પ્રમાણે બોધ પરિણમશે. મિથ્યાષ્ટિ સાધનનો ઉપયોગ ભોગ માટે કરશે, સમ્યગુદૃષ્ટિ સાધનનો ઉપયોગ મુક્ત થવા માટે કરશે. જીવને જો એક વાર સત્ય સ્પર્યું છે તે કદાચ સત્યથી વિખૂટો ૧૧૬ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy