SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અલ્પ સંખ્યામાં રહેવાના છે. માટે સાચા ઉપદેશકે ભીડની અપેક્ષા રાખી મોટાઈમાં ખેંચાવું નહિ. નહિ ગ્રંથોમાંહિ જ્ઞાન ભાળ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્રો તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભળ્યો સાંભળો. શ્રીમદ્ રાજચંદ્ર વિવિધ પ્રકારના મત, પંથ અને દર્શનોના વનમાં આત્મલક્ષી જીવે મૂંઝાવું નહિ. વળી ગચ્છના ભેદને કારણે સામાન્ય વ્યવહારધર્મમાં આગ્રહોને કારણે જીવો સાચા ધર્મથી વંચિત રહે છે. વળી જનસમાજમાં તત્ત્વનો અભ્યાસ કે બોધ નથી કે સાચા ધર્મને ગ્રહણ કરે. વળી આ કાળે કોઈ પૂર્ણજ્ઞાની નથી. ક્ષયોપશમ જ્ઞાનવાળા મહાત્માઓના યોગે બોધ લેવાનો છે. તે દરેકની શૈલીના પ્રકારાંતરે ભેદ પડવાનો, લોકની રુચિમાં પણ ભિન્નતા હોય છે. છતાં ઉપદેશકે નિસ્પૃહભાવે, કરુણાદષ્ટિએ આત્મહિતને લક્ષમાં રાખી સ્વ-પર શ્રેયાર્થે ઉપદેશ આપવો. માત્ર મનોરંજનાર્થે ઉપદેશ નથી, કે લોકેષણા માટે નથી તેમ જિનાજ્ઞાને શિરોમાન્ય કરવાથી સ્વ-પરહિત છે. જૈનદર્શનમાં શ્રી તીર્થકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે તેવો નિર્ણય અન્ય દર્શનમાં પ્રાયે જણાતો નથી. ભાઈ ! તને તો આ મહામૂલું દર્શન સહેજે મળ્યું છે તો પછી સહજાવસ્થાને પ્રાપ્ત કરી લે. ષડ્રદર્શનમાં બાધકતા નથી. પણ આત્માને કેવળ મુક્તદષ્ટિએ જોતાં તીર્થકરે જ્ઞાનની મુખ્યતાથી નિરૂપણ કર્યું છે. પડ્રદર્શનમાં આત્માની વિચારણા તો છે પણ તેમાં તારતમ્યતા છે. માટે પદર્શન ગુરુગમે સમજવા જરૂરી છે. હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy