SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ થાંભલા જેવો માન્યો. પૂંછડાને સ્પર્યો તેણે દોરડા જેવો માન્યો. આ છ દર્શનના દ્રષ્ટાઓએ જેટલું તેમના જ્ઞાનની મર્યાદામાં આવ્યું તેટલું જણાવ્યું. કોઈ દેખતા માણસે કહ્યું કે તમે છ ભેગા થાવ તો હાથીને સાચો અને પૂર્ણ જાણી શકશો. તેમ જૈનદર્શનમાં બધા દર્શન સમાઈ જાય છે. વળી આ દરેક દર્શનના અસંખ્ય ભેદ-પ્રભેદ છે. કોઈ નવો સાધક નવેસરથી ધર્મમાર્ગમાં પ્રવેશ કરવા માગે તો તે ભુલભુલામણીમાં અટવાઈ જાય. જૈનદર્શનમાં પણ આજે કેટલાય ભેદ-પેટાભેદ પ્રવર્તે છે. દરેક પોતાનો મત સાચો માને છે. જૈનો કહેશે જૈનમ્ યતિ શાસનમ્ બૌદ્ધો કહેશે બુદ્ધ શરણમ્ ગચ્છામિ. શ્રીકૃષ્ણ કહેશે પરધર્મ ભયાવહ, અભિનંદન જિન દર્શન તરસીયે, દર્શન દુર્લભ દેવ, મત મત ભેદે રે જો જઈએ પૂછીએ સૌ થાપે અહમેવ. શ્રી આનંદઘનજી. કોઈ કહે આગમ પિસ્તાળીશ છે. કોઈ કહે છે બત્રીસ છે. કોઈ કહે છે તે મૂળ આગમ નથી. કોઈ કહે છે ભગવાન વીતરાગ છે. કોઈ કહે છે રાગી છે (આંગીવાળા) કોઈ કહે ભગવાન સ્થાપના નિક્ષેપે(મૂર્તિ) નથી આમ ઘણા ભેદ જોવામાં આવે છે. એક જ વીતરાગમાર્ગમાં પણ જો આવા મતભેદો હોય તો અન્ય દર્શનોનો સાગર જેવો જબરદસ્ત પ્રવાહ તેમાં કોઈ કહેશે કે મારો જ મત સાચો તો તેની તતૂડી કોણ સાંભળશે ? વળી લોકોને દેહલક્ષી સંસારલક્ષી સુખ, મનોરંજન જેવા વિષયોની પ્રીતિ આદિનું વ્યસન છે. તેથી જીવો સહેલા અને સુખલક્ષી પ્રવાહો તરફ જ તણાય છે. હૃદયપ્રદીપનાં અજ્વાળાં * ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy