SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનયોગીઓ અને અધ્યાત્મયોગીઓની પરંપરા ચાલુ છે. જેમના જીવનની શુદ્ધતાના પવિત્ર પરમાણુઓ સાધકોને સ્પર્શતા જ રહ્યા છે. એ મહાત્માઓ એવા નિસ્પૃહ હતા કે જગતનાં જંતુથી માંડી ચક્રવર્તી સૌને માટે સમાન ભાવ ધારણ કરતા હતા, જગતના હિત માટે કંઈ બાહ્ય પ્રવૃત્તિ કરતા તેમાં પણ સૌને તત્ત્વદૃષ્ટિનું પ્રદાન કરતા હતા. અર્થાત્ સમિતિનું પાલન કરતા અને ઘણો સમય ગુખ્યાત્મક રહેતા, અને આજે પણ રહે છે. તે મહાત્માઓ સર્વશકથિત તત્ત્વમાં, સ્વસ્વરૂપમાં તદ્રુપ હતા. કોઈ વંદન કરો કે નિંદા કરો તેઓ સદા નિસ્પૃહ હોવાથી સમભાવમાં જ રહે. આ બોધ વીતરાગ તીર્થકર દેવોએ પ્રગટ કર્યો છે. સંગમનો ઉપસર્ગ હો કે કેન્દ્રની સ્તુતિ એક પ્રસંગે પ્રભુ તો સ્વરૂપમાં જ લીન રહ્યા હતા. કમઠે ઉપસર્ગ કર્યો, ધરણેન્દ્ર સેવા કરી. પ્રભુની મનોવૃત્તિ બને માટે તુલ્યસમાન હતી. કુરગડુ મુનિને સાધુજનોએ અનાદર કર્યો, મુનિ તો સમતારસમાં લીન રહ્યા. કેવળજ્ઞાન પ્રગટ થયું. મહાત્માઓનો વૈરાગ્ય કેવો! વજસ્વામીને રાજકન્યા વળગી પડી. વરમાળા પહેરાવવા તૈયાર થઈ. મુનિ તો વૈરાગ્યની ભાવનામાં ઝૂલતા હતા. ઝાંઝરિયા મુનિને ગણિકાએ ચળાવવા કેવો પ્રયત્ન કર્યો ? મુનિને કામ સ્પર્યો નહિ, કારણ કે વૈરાગ્યનો રંગ મજીઠ જેવો પાકો હતો. આનંદઘનજી પાસે લબ્ધિઓ હતી છતાં ગર્વહીન હોવાથી તેમને માટે તે તુચ્છ હતી. તેમની ગર્વહીનતાનો બોધ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીને સ્પર્શી ગયો. તેઓ કોઈ વાદમાં જીતતા ત્યારે ધજા મળતી તેનો દાંડો બનાવી તેમાં ધજાઓ લગાવી વિહારમાં હૃદયપ્રદીપનાં અજવાળાં ૪૯ ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy