SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ હેમસમીક્ષા માટે રચવામાં આવ્યો હતો. યોગશાસ્ત્રના વિભાગ અને વિતરાગસ્તુતિઓના વિભાગમાં પ્રકાશના નામે ઓળખાવવામાં આવ્યા છે. “રાજા કુમારપાળ નિરંતર આને-વીતરાગસ્તુતિઓને-પાઠ કર્યા પછી જ દાતણ કરતા હતા. એટલે વીશ પ્રકાશ શ્રીવીતરાગસ્તોત્રના અને બાર પ્રકાશ શ્રીગશાસ્ત્રના એમ કુલ બત્રીસ પ્રકાશને સ્વાધ્યાય કરી પછી દંતધાવનની ક્રિયા કરતા હતા, એમ પૂર્વ મહાપુરુષ કથન કરી રહ્યા છે. આ યોગશાસ્ત્રની રચના કોઈ એક વિશિષ્ટ પુરુષને અનુલક્ષીને કરવામાં આવેલી છે. એ તો કેવળ ઉપરટપકે ગ્રંથનું નિરીક્ષણું કરનાર જિજ્ઞાસુ જાણી શકે એમ છે. પ્ર. ૨. માં જણાવવામાં આવ્યું છે. “પછી રાજાને તત્ત્વાર્થને બંધ કરવા માટે આચાર્ય મહારાજે બધાં શાસ્ત્રમાં મુકુટસમાન ગશાસ્ત્ર બનાવ્યું. ગુરુએ પિતે રાજાને તેને અભ્યાસ કરાવ્યો. રાજાએ તેમની સમક્ષ તે ગ્રંથ વિચારી પણ લીધો. પછી સમ્યકત્વવાસિત રાજાએ એ નિયમ લીધે કે જિનદર્શનમાં ગમે તેવો સાધુ હોય, તે રાજમુદ્રાની જેમ મારે વંદનીય છે.”૧૧ ૧૦. શ્રીવીતરાગ-મહાદેવ સ્તોત્ર (શ્રી આત્માનન્દ જૈન શતાબ્દી સિરીઝ નં૧) નિવેદન પા. ૩ ૧૧. પ્ર. ચ. હેમચંદ્રસૂરિપ્રબંધ: લોક ક૭૧-૭૭૩ (પા. ૩૪૨.) प्रतिपन्ने ततः श्राध्धव्रतसद्ध्यानहेतवे भूपस्याध्यात्मतत्त्वार्थावगमाय च स प्रभुः ।। योगशास्त्रं सुशास्त्राणां शीरोरत्नसमं व्यधात् अध्याप्य तं स्वयं चक्रं तत्पुररुच व्यचारयत् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy