SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ સ્તવને સમયથી જ વિન્માન્ય થયાં છે. “ટીકાકાર તરીકે અજોડ કૌશલ્ય ધરાવનાર સમર્થ આચાર્યશ્રી મલયગિરિએ તે આવશ્યસૂત્રની વૃત્તિમાં તથા સહુ સ્તુતિપુ ગુરઃ એ પ્રમાણે લખી ભગવાન શ્રીહેમચંદ્રકૃત અન્યયોગવ્યવચ્છેદાર્નાિશિકામાંના કને ઉલ્લેખ કર્યો છે, અને એ રીતે ભગવાન હેમચંદ્રને પિતાના ગુરુસ્થાનમાં માની લીધેલા છે.”૧૦ મલયગિરિ હેમાચાર્યની સ્તુતિઓમાંથી ટાંચણ આપવા પ્રેરાય છે અને એ ટાંચણ કરતાં હેમાચાર્યને ગૌરવપૂર્વક ઉલ્લેખ કરે છે. તે બતાવી આપે છે કે તેમની સ્તુતિએને પ્રભાવ જિનશાસનના અલંકારરૂપ આચાર્યો ઉપર કેટલે બધો હોવો જોઈએ. તેજ પ્રમાણે વીતરાગસ્તુતિ સંબંધી અજયપાલને મંત્રી યશપાલ ‘મેહરાજપરાજય” નામે પોતાના નાટકમાં જણાવે છેઃ पुरुषः - इमाश्च वीतरागस्तुतिसंज्ञा विंशतिर्दिव्यगुलिकाः । आभिर्मुसमलंकृत्य स्थिताभिः पुरुषः परेषामदृश्यो भवति । (इति वज्रकवचं दिव्यगुलिकाश्चोपनयति )११ આ પ્રમાણે યશપાલ વીતરાગસ્તુતિઓના વીશ પ્રકાશને દિવ્ય ગોળીઓ સાથે સરખાવે છે. હેમાચાર્યે જાતે પણ અહંતની ૧૦ મુનિશ્રી પુણ્યવિજયજી “સ્યાદ્વાદવિજ્ઞાનમૂતિ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર ઉદ્દઘાટન સમારંભ પૂર્તિ ( જૈન જ્યોતિ તા. ૧૫. એપ્રિલ, ૧૯૩૯. પા. ૪.). ૧૧. ચર:પાઇ – મોરાનપરા (G. 0. S. IX) અંક. ૫. પાન. ૧૨૩, ૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy