SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ માનુશાસન ૧૭૭ 2 નુશાસનની રચના પછી અલંકારચૂડામણિ અને વિવેકની રચના કરવામાં આવી હોય અથવા તે તે અત્રેય ટીકાઓનુ પુનરા લાચન કરી આ ઉલ્લેખો ઊમેરવામાં આવ્યા હોય. ‘ અલંકારછૂડામણિ ' ને ઉલ્લેખ દેશીનામમાલામાં પણ દષ્ટિગેાચર થાય છે.૧૬ છંદોનુશાસનની પ્રથમ કારિકામાં કાવ્યાનુશાસનની રચના સિદ્ધ થઈ ગઈ હૈાય એમ જણાવવામાં આવ્યું છે.૧૭ આ ઉપરથી એમ અનુમાન થાય છે કે હેમચંદ્રાચાર્ય'ની વ્યાપક દૃષ્ટિ હેઠળ અનુશાસના રચવાની પ્રવૃત્તિ જોરભેર ચાલી રહી હૈાવી જોઈ એ એટલે પરસ્પર ઉલ્લેખા ટીકામાં માલમ પડે એ સ્વાભાવિક છે. આમ આનુપૂર્વી નક્કી કરવી એ વિષમ કાર્યાં છે; પરંતુ કાવ્યાનુશાસન પછી છૂંદાનુશાસનની રચના કરવામાં આવી એમ હેમચંદ્રાચાને તે અભિમત છે. કાવ્યાનુશાસન શિક્ષાગ્રન્થ તરીકે મમ્મટના કાવ્યપ્રકાશ કરતાં ઊતરતી ક્તિને એવા આક્ષેપ એક વિદ્વાને કરેલા છે તે અયેાગ્ય છે.૧૮ મમ્મટના કાવ્યપ્રકાશ ઉપર અનેક ટીકાએ થયેલી. હોવા છતાં પણ દુધ અને વિષમ રહ્યો છે. કાવ્યાનુશાસનની -સૂત્રાની તેમજ અલ કારચૂડામણિ ટીકાની શૈલી સરળ અને સુખાધ છે. તદુપરાંત પાંડિત્ય દર્શાવવા બનેલી વિભાગપ્રિયતામાંથી ઉપસ્થિત થયેલા અનેક અટિત અલંકારાની સંખ્યાને ઘટાડી શ્રીહેમચંદ્રાચાર્યે શિષ્યાને અને વિદ્વાનને સુગમ થાય એ રીતે ૧૬. ભૂલથી છપાયેલી પાછલી પાદનેોંધ ૧૬ જુએ. ૧૭. હેમચંદ્રાચાર્ય : છંદોનુશાસન : પ્રથમ શ્લોક. ૧૮. કાવ્યાનુશાસન. (ર. છે. પરિખ) ગ્રંથ. ૧. Intro, eeexxi.. પ્રેા. એસ. કે. ડે. ને! આ અભિપ્રાય શ્રી. રસિકલાલે ટાંકયે છે. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy