SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ એ દૃષ્ટિએ કદ વધારવાને મંજૂરી પણ મળી. આ રીતે ૨૦૦ પૃષ્ઠના ગ્રંથને બદલે લગભગ ૩૪૫ પૃષ્ઠના દળદાર ગ્રંથને સમાજચરણે ધરતાં અમને આનંદ થાય એ સ્વાભાવિક છે. હરિભદ્રસૂરિ, સિદ્ધસેન દિવાકર સમા યુગપ્રધાન પ્રકાંડ જૈનાચાર્યોનાં જીવન અને કવન આ રીતે પ્રસિદ્ધ થવાની અત્યંત આવશ્યકતા છે. આ શતાબ્દીસ્મારકની યોજનાના પ્રયોજક જૈનધર્મ અને સમાજના કલ્યાણસાધક પંજાબ-કેસરી આચાર્યશ્રી વિજયવલભસૂરીશ્વરજી છે. તેમની પ્રેરણું અમારી સમિતિને વખતોવખત ઘણી ઉપયોગી થઈ પડી છે. આ વખતે પણ ભાઈશ્રી કાન્તિલાલ મગનલાલ ભાવનગરી તથા શ્રી. કુલચંદ હરિચંદ દેશીએ ગ્રંથપ્રકાશન માટે સારે એવો શ્રમ લીધે છે તેને માટે સમિતિ તે બંને ભાઈઓને આભાર માને છે. આ ગ્રંથનું પુરોવચન વિદ્વદર્ય શ્રી. જિનવિજયજીએ પિતાનાં અનેક રેકાણેમાંથી સમય કાઢી લખી આપ્યું છે તે માટે અમે તેમના અત્યંત ઋણી છીએ. આશા છે કે આ ગ્રંથરત્નને જૈન તેમજ જૈનેતર પ્રજ વધાવી લેશે. મોહનલાલ દીપચંદ ચોકસી. મંત્રી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy