SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું નામ ભક્તિ છે. વૈરાગ્ય એ સંસારના પ્રવાહ તરફ વળતી ચિત્તવૃત્તિઓને રોકે છે. ભક્તિ એ “કૈવલ્યના પ્રવાહ તરફ ચિત્રવૃતિને વાળે છે મૂર્તિના દયાનવડે ધ્યાતા યેયની સાથે એકતાને અનુભવ કરે છે. દયાતા અંતરાત્મા છે, દયેય પરમાત્મા છે અને ધ્યાન એ વૃત્તિના દયેય વિષે અખંડ પ્રવાહ છે. મૂર્તિ દ્વારા તે સધાય છે. તેથી જિનમૂર્તિને “પરમઆલંબન” કહ્યું છે. મૂર્તિમાં ભગવદ્દભાવને અભેદારો પ થાય છે. જિનમૂર્તિના દર્શન, પૂજન, સ્તવનથી આત્માના જ્ઞાન-દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ અને શુદ્ધિ થાય છે. મૂર્તિમાં પરમાત્મા તુલ્ય આપણે આત્મા છે, એ ભાવને મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું છે, તેથી તેના દર્શન પૂજનથી આ પણને આપણા આત્માનું જ વાસ્તવિક દર્શન થાય છે હકીકતમાં પરમાત્માનું ધ્યાન એ એક પ્રકારે પોતાના શુદ્ધાત્માનું જ ધ્યાન છે. એ ધ્યાન સિદ્ધ કરવા માટેનું આલંબન પરમાત્મભૂતિ છે. આ રીતે ચિય-જિનભૂતિ આત્મવિકાસની સાધનાનું આગવું અંગ હોવાથી એની ઉપકારકતા અને ઉપયોગીતા અમાપ છે. એ જ રીતે દેવાધિષ્ઠિત પ્રભાવશાળી જિનમૂર્તિઓથી પ્રતિષ્ઠિત મંદિર અને તીર્થોની પણ આધ્યાત્મિક ક્ષેત્રે ઘણું જ મહત્તા અને ઉપકારકતા છે. ચિત્યની ઉપાસના અને સંખ્યાનિર્દેશ - ચતુર્વિધ સંઘને પ્રતિદિન ઉભયકાલ અવશ્ય કર્તવ્યરૂપ “પ્રતિક્રમણ”ના સૂત્રોમાં ચૈત્યસ્તવ” અર્થાત્ “અરિહંત ચેઈયાણું” સૂત્રદ્વારા અહંત રૌય એટલે કે અરિહંત પરમાત્માઓની પ્રતિમાઓના વંદન-પૂજન આદિ નિમિત્તે કાર્યોત્સર્ગ કરવાનું વિધાન છે. “Rag” આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં રહેલી સર્વ જિનપ્રતિમાઓ સમાધિકારક હેવાથી, તેમને વંદનાદિ નિમિત્તે કાર્યોત્સર્ગ કરવાને હોય છે. તેમજ “જાવંતિ ચેઇયા” સૂત્ર દ્વારા સાધક ત્રણલકમાં રહેલા સ ત્યને વંદન કરે છે. તથા “જગચિંતામણિ સૂવની ત્રીજી ગાથામાં સૌ પ્રથમ શત્રુંજય, ગિરનાર, સાર, ભરૂચ અદિ મહાન તીર્થ ભૂમિમાં બિરાજમાન તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ, નેમિનાથ, મહાવીરદેવ તથા શ્રી મુનિસુવ્રતસ્વામી વિગેરે અરિહંત પરમાત્માની પ્રતિમાઓનું ભાવપૂર્વક સ્મરણ, વંદન કર્યા પછી મહાવિદેહ આદિ ક્ષેત્રમાં દિશા-વિદિશાઓમાં ભૂત, ભાવિ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy