SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ બીજો એક પર્વત માનસરોવર અને કૈલાસની વચ્ચે આવેલો (પદ્મશ્નદ) છે, તે પ-૭ માઈલ ઉત્તર-દક્ષિણે આવેલો છે. તે પણ અષ્ટાપદ કહેવાય છે. આ પર્વતની ઊંચાઈ ૮ માઈલ છે અને સફેદ ખડકોથી ઢંકાયેલો છે તેથી તેને ધવલગિરિ તરીકે પણ ઓળખવામાં આવે છે. દારચીન'થી ૧૫-૨૦ ટેકરીઓ પાર કરીને ૪ થી ૬ કલાકમાં પહોંચી શકાય છે. બૌદ્ધ યાત્રીઓ આ પર્વતને કાંગ શીચે' કહે છે. આશરે ૪૦ કિ.મી.ના અંતરે આવેલું પર્વતનું એક બીજું શિખર ગુરલા માંધાતા' તરીકે ઓળખાય છે. માંધાતા' શબ્દ સગર રાજાના પૂર્વજના મૂળમાંથી આવ્યો છે. કૈલાસ અને ગુરલા માંધાતાની વચ્ચે રાક્ષસ તાલ નામનું સરોવર આવેલું છે. નંદી પર્વતની ઘણી તસવીરો લેનાર અને આ પ્રદેશમાં સારું એવું ભ્રમણ કરનારા શ્રી ભરત હંસરાજના કહેવા પ્રમાણે આ પર્વત સાથે અષ્ટાપદના વર્ણનનો મેળ બેસે તેવો છે. આઠ પગથિયાં અને ફિંક્સ' જોવા મળે છે. અમે સેટેલાઈટ દ્વારા આ પ્રદેશની તસવીરો મેળવી છે અને એનો અભ્યાસ કરી રહ્યાં છીએ, જેથી કોઈ દટાયેલું સ્થાન મળી આવે. આ સંદર્ભમાં શ્રી પી. એસ. ઠક્કરનો છેલ્લો અહેવાલ અભ્યાસ કરવા જેવો છે. આ અહેવાલ રેફરન્સ વૉલ્યુમ નં. ૧૧ ના ૮૦ મા પ્રકરણમાં પૃષ્ઠ નં. ૪૯૭૩ પર છે. કૈલાસ પ્રદેશનું સેટેલાઈટ ચિત્ર Jain Education International For Private & Fersonal Use Only www.jainelibrary.org
SR No.001978
Book TitleAshtapadji Mahatirth Ratnamandir
Original Sutra AuthorN/A
AuthorJain Center of America Inc. New York
PublisherUSA Jain Center America NY
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy