SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગટાવવાનું છે. સંગ્રહનયની વાત પાત્રને આશા-ઉત્સાહથી ભરી દે, અપાત્રને આળસથી ભરી દે. ઘાસમાં દૂધ છે તે સમુચિત શક્તિથી; શિક્તિ બે પ્રકારે : સમુચિતશક્તિ અને ઓઘશક્તિ પણ વ્યવહારમાં દૂધની જગ્યાએ તમે કોઈને ઘાસ આપો તો ન ચાલે. આપણું સિદ્ધત્વ વ્યવહારમાં ચાલે તેવું નથી. “અંદર રહેલું સિદ્ધત્વ જ મારે પ્રગટ કરવું છે. બીજું કશું જ મારે જોઈતું નથી.” આવી ભાવના હોય તો જ ધર્મ શુદ્ધ બની શકે. ધર્મ દ્વારા કીર્તિ આદિ ભૌતિક પદાર્થો પણ પામવાની ઇચ્છા હોય તો સમજવુંઃ ધર્મ હજુ શુદ્ધ બન્યો નથી. આપની મન-વચન-કાયની પ્રવૃત્તિ કમ સે કમ આપણાથી તો અજ્ઞાત નથી જ. આપણી જાત માટે તો કમ સે કમ આપણે સર્વજ્ઞ જ છીએ. એનું બરાબર નિરીક્ષણ કરીએ ને એને દિશા આપતા રહીએ તો પણ કામ થઈ જાય. આત્મનિરીક્ષણ એક દર્પણ છે, જેમાં પોતાની જાતને જોવાની છે. આપણી અંદર રહેલી ચેતના વફાદાર છે. એ જીવરૂપી સ્વામીને છોડીને ક્યારેક ક્યાંય જતી નથી. વફાદારી છોડતી નથી. આપણે ગુરુને છોડી દઈએ, પણ ચેતના કદી આપણને છોડતી નથી. ધજા વગેરેના હાલવા વગેરેથી નહિ દેખાતા પવનને પણ આપણે માનીએ છીએ, તેમ નહિ આપણી અંદર રહેલી ચેતના વફાદાર છે. એ જીવરૂપી. સ્વામીને છોડીને ક્યારેય ક્યાંય જતી નથી. વફાદારી છોડતી નથી. આપણે ગુરુને છોડી દઈએ, પણ ચેતના કદી આપણને છોડતી નથી. ધજા વગેરેના હાલવા વગેરેથી નહિ દેખાતા પવનને પણ આપણે માનીએ છીએ, તેમ નહિ દેખાતો આત્મા કાર્યથી જાણી શકાય છે, ઉપયોગ દ્વારા જાણી શકાય છે. ઉપયોગના બે પ્રકાર છે: સાકાર અને નિરાકાર. સામાન્ય તે નિરાકાર [દર્શન વિશેષ તે સાકાર (જ્ઞાન. છવસ્થ પહેલા દર્શન કરે જુએ પછી જાણે. કેવળી પહેલા જાણે પછી જુએ. જેમાં ઉપયોગ હોય તે જીવમાં પરસ્પર ઉપગ્રહ કરવાની પણ શક્તિ હોય જ. આત્મસ્વરૂપનું પમ્ય ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy