SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ જ સામાયિક, તે સાવદ્ય પાપવ્યાપારના ત્યાગરૂપ અને નિરવદ્યયોગના ધર્મવ્યાપારના આસેવનરૂપ આત્માનાં પરિણામ છે. અહિંસાના પરિપૂર્ણ પાલનમાં નયસાપેક્ષ “ષટજીવનિકાય'નું જ્ઞાન અત્યંત આવશ્યક છે. આગમાનુસારી જીવન જીવનાર મુનિ જ અહિંસાનું પરિપૂર્ણ પાલન કરી શકે છે. જ્ઞાનદાન હોય કે અભયદાન હોય પણ તે ક્ષમા અને વિરતિથી યુક્ત હોવાં જોઈએ. ધનાદિ સામગ્રી વિના સુપાત્રદાન કરી શકાતું નથી, તેમ મૈત્રી ક્ષમા, વિરતિ વિના વાસ્તવિક અભયદાન દઈ શકાતું નથી. મૈત્રી આદિ ભાવોથી સંયમ ઉત્કૃષ્ટ બને છે. તેથી આર્ત-રૌદ્રધ્યાનનો સર્વથા ત્યાગ થતાં ધર્મધ્યાન સધાય છે. પછી શુક્લધ્યાનમાં સાધક લીન બને છે. અનુક્રમે મોક્ષ પ્રાપ્ત થાય છે. સામ સામાયિકમાં મૈત્રીઆદિ ભાવા-ગુણોનું ચિંતન સુસાધ્ય થાય છે તેને “અધ્યાત્મયોગ’ કહે છે. તે શુભભાવનાનો સતત અભ્યાસ તે ભાવનાયોગ છે. તેના ફળસ્વરૂપે ચિત્તની વિશુદ્ધિ થતાં ધ્યાન યોગનો પ્રારંભ થાય છે. (સમભાવ) મૈત્રી સહિત સંયમનું પાલન અધ્યાત્મયોગ. મૈત્રી આદિ ભાવનાઓનું ભાવન ભાવનાયોગ. આર્ત-રૌદ્રધ્યાનનો પરિત્યાગ તે ધ્યાનયોગ. આ ત્રણે યોગોની ફળશ્રુતિ સમતાયોગ છે જેમાં મુનિઓ સાક્ષાત મોક્ષનો – સ્વરૂપનો અનુભવ કરે છે. સમ સામાયિક = તુલ્ય પરિણામ (સ્થિર). શમ, પ્રશમ, ઉપશમ, સમતા, શાંતિ વગેરે પર્યાયવાચી નામો છે. તેની પ્રાપ્તિ માટે સતશાસ્ત્રોનો અભ્યાસ આવશ્યક છે. કર્માધીન સંસારી જીવને નિમિત્તાધીન રાગદ્વેષની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે પરંતુ શાસ્ત્રોના અધ્યયન, મનન અને પરિશીલનથી ચિત્ત વાસિત થાય તો જડ ચેતન પદાર્થોના વિવિધ સ્વરૂપનું વિભાવનું, ઈષ્ટ અનિષ્ટ પદાર્થોનું કે સંયોગ વિયોગની પરિસ્થિતિમાં ચિત્તની સમતુલા જળવાઈ શકે છે. મધ્યસ્થભાવ ટકે છે. સંયમ સ્વીકારનાર મુનિએ સદ્ગુરુની નિશ્રામાં શાસ્ત્રાભ્યાસ કરવો ૧૩૬ ' શ્રી કલાપૂર્ણપ્રબોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy