SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ T પણ તારો મનુષ્યજન્મ વ્યર્થ જવાનું નુકસાન જરૂર થાય. બાળક જેમ શાળાએ જાય, ત્યાં સારી રીતે ભણે તો લાભ, ન ભણે તો નુકસાન. જેમ એવો વ્યવહાર છે, તેમ પરમાર્થ કહે છે તું ધર્મ ન કરે તો ચાલે તેમ ન માનવું, પણ ન કરે તો નુકસાન જ છે. આત્મિક લાભ તો નથી જ. માનવજન્મ ચેતના પર આવેલાં મલિનતાનાં આવરણ દૂર કરવા માટે છે. ઉત્તમતાના શિખરે પહોંચવા માટે છે. બધી જ દિવ્યતા પ્રગટ થવા માટે છે. ઘણા પરિશ્રમે તે માનવદેહરૂપી ઉત્તમ ભવ મેળવ્યો છે, તે ભવ શુદ્ધિનું પ્રયોજન સિદ્ધ કરવા માટે છે. સંસારનું કોઈ સાધન તે પ્રયોજન સિદ્ધ કરી શકે તેમ નથી. જો હાથમાં આવેલું આ ચિંતામણિ રત્ન પડી ગયું, એળે ગયું તો તારા ભાગ્યે દુઃખો જ રહેશે. બુદ્ધિમાન માનવ સમુદ્રના ખારા પાણીને પીવાની ચેષ્ટા કરતો નથી. કેમકે તે જાણે છે કે ખારાં પાણીથી તૃષા છીપતી નથી. ધર્મ તારામાં એવો પ્રકાશ પાથરે છે કે સાંસારિક વિષયો વડે ક્યારે પણ તૃષ્ણાની પૂર્તિ થતી નથી. જેમ ઉધઈના મૂળને દૂર ન કરો તો ઉધઈ રાતોરાત વૃદ્ધિ પામે છે, તેમ તૃષ્ણાને મૂળમાંથી દૂર ન કરો તો તે વૃદ્ધિ જ પામે છે. જેમ કારેલાના બીને સાકરનું પાણી સિંચો તો પણ તેમાંથી ઊગતું કારેલું કડવું જ હોય, તેમ સાંસારિક વિષયો કદાચ તને પુણ્યયોગે મળ્યા હોય તો પણ તેનું બીજ તૃષ્ણાજનિત છે. એ તૃષ્ણાની નીપજ આકુળતા છે. આકુળતા દુઃખની સહોદરા છે. તારી પાસે એક બાજુ સંસાર છે, પરિભ્રમણના હેતુઓ છે. તો બીજી બાજુ મોક્ષ અને મોક્ષના ઉપાયો છે. તેમાં મૂળ ઉપાય ધર્મ છે. ધર્મ એટલે શું ? ધર્મ શબ્દ ખૂબ વ્યાપક છે. તે અનેકવિધ ઉપમા પામે છે. અત્રે આપણને પરમાર્થમૂલક ધર્મ અભિપ્રેત છે. તે સિવાયની ઉપમા પામેલા ધર્મો સંસારના હેતુ છે. “યતોડગ્યુદય નિઃશ્રેયસસિદ્ધિ સ ધર્મ જેનાથી અભ્યદય અને નિઃશ્રેયસની સિદ્ધિ થાય તે ધર્મ. સર્વ દર્શનકારોએ સામાન્યતઃ ધર્મના આ અભિગમને સ્વીકાર્યો છે. ધર્મ સંસારી જીવોના ઉત્થાન માટે છે. સંસારમાં પૌદ્ગલિક અને પારમાર્થિક બે પડખાં છે. તેથી જેમાં પૌદ્ગલિક વિકાસ છે તે અભ્યદય છે. અને જેમાં નિશ્ચયથી પારમાર્થિક વિકાસ છે તે નિઃશ્રેય છે. ધર્મપરિચય - ધર્મની યથાર્થતા * ૪૭ For Private & Personal Use Only Jain Education International WWW.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy