SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગુરુભ્યો નમઃ ૧. આત્મસ્વરૂપ-મંથન વિશ્વ સચરાચર છે. જડ અને ચૈતન્યાત્મક છે. જીવ અને જડ પદાર્થોવાળું છે. આ બે પદાર્થ કે વસ્તુમાં વિશ્વની સમસ્ત લીલાનો સમાવેશ થાય છે. દૃશ્યમાન જડને, પુગલ કે અજીવ કહેવામાં આવે છે. તે રૂપ અને રૂપાંતરવાળું છે. અદૃશ્યમાન ચૈતન્ય આત્મા તરીકે પ્રસિદ્ધ છે. વળી વિશ્વમાં ચૈતન્ય ન હોય તો કંઈ વિચારવા કે કહેવાનું રહેતું નથી. અને ચૈતન્યસ્વરૂપ આત્માનો વિચાર કરશું તો બધું જ વિચારવું પ્રયોજનભૂત થશે. સંસાર જડ અને ચૈતન્યના યુગલિક લક્ષણવાળો છે, અથવા જન્મ-મ૨ણ, હર્ષ-શોક, સુખ-દુઃખ, ઊંચ-નીચ, સત્ય-અસત્ય, પ્રકાશ-અંધકાર, શીત-ઉષ્ણ, એમ અનેક દ્વંદ્યાત્મક છે. છતાં એ સર્વ પદાર્થો કે પ્રકારોમાં ચૈતન્ય-સ્વરૂપ આત્માની વિશેષતા છે. માટે પ્રસ્તુત ગ્રંથમાં આપણે આત્માના પરિચયથી પ્રારંભ કરીશું. પૂ. પન્યાસજીએ પણ આત્મોત્થાનનો પાયો આ ગ્રંથનો આત્મ-સ્વરૂપથી પ્રારંભ કર્યો છે ? ધર્મનિષ્ઠ માનવની આત્મા પ્રત્યે દૃષ્ટિ થાય છે ત્યારે તેને વિચાર આવે છે કે આ દ્રશ્યમાન દેહ તે હું નથી પણ ચૈતન્યસ્વરૂપ આત્મા છું. આત્મા રહિત દેહ લાશ મનાય છે. આવા બોધને પરિણામે તેને પ્રશ્ન ઊઠે છે કે આત્મા કેવો પદાર્થ છે ? તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કેવો છે, તેનું સામર્થ્ય શું છે ? જિજ્ઞાસાથી પૂછાયેલા આ પ્રશ્નોના જવાબ આ રહ્યા : હે ચેતન ! તને સપ્તધાતુના પરમાણુઓથી ભરેલા આ દેહમાં જે સ્ફુરણાઓ જણાય છે, એ દેહમાં રહેલું અચિંત્ય તત્ત્વ જે પદાર્થોને જાણવા-જોવાની શક્તિ ધરાવે છે તે આત્મા છે. વળી શરીર તો જડ પુદ્ગલ પરમાણુઓનો પુંજ છે. જેના નિમિત્તથી સુખદુઃખનો અનુભવ કરનાર છે તે આત્મા છે. વાસ્તવમાં આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. દ્રવ્યથી આત્મા ચૈતન્યસ્વરૂપ છે સર્વ પ્રકારોથી અસંગ છે. જ્ઞાનાદિ આત્મસ્વરૂપ × ૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy