SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અનાસક્ત ભાવ, પૌદ્ગલિક પદાર્થોમાં સુખબુદ્ધિની મંદતા, લોકોત્તર ભાવના, જેવાં પૂરક પરિબળોની ત્રૂટિ હોવાથી મંત્ર ફળવાન ન થયો. સમય, સ્થાન, એકાગ્ર ચિત્તની નિયમિતતા પણ તેમાં આવશ્યક છે. એ આરાધન સમયે પણ ચિત્ત ઉપર મોહનું સામ્રાજ્ય તો વ્યાપેલું રહ્યું. અંતરંગ વૃત્તિના વહેણને પૌદ્ગલિક પદાર્થોથી પાછું વાળીને આત્મસત્તા પ્રત્યે ઝુકાવવું જોઈએ. તેની પાત્રતા નમસ્કાર મંત્રની આરાધનાને સફળ બનાવે છે. ભલે તેને માટે થોડા જન્મો ચૂકવવા પડે, પણ કોઈ એક જન્મે કાર્ય સિદ્ધિ અવશ્ય થાય. “એસો પંચ નમુક્કારો સવ્વપાલ્વ પણાસણો.’’ પંચ પરમેષ્ઠિને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરે છે, અર્થાત્ વિશ્વમાં નવકારમંત્રથી નાશ ન પામે તેવી કોટિનું પાપ નથી તો પછી જીવોનાં પાપો-દુઃખો નાશ પામતાં કેમ નથી ? ભાઈ ! તું જ વિચાર કે તારી જીવનચર્યામાં તને જેટલો અસહ્માં પાપમાં વિશ્વાસ છે તેટલો નમસ્કારમંત્રમાં વિશ્વાસ છે ? ડગલેપગલે માયાચાર, પ્રપંચ આદરે અને તેનાથી લાભ થાય છે તેમ માને તો તને નવકાર કેવી રીતે ફળે ? નવકારમંત્ર અર્થશાન વગર ગણે છે, તે તો કદાચ ફળથી વંચિત રહે, પરંતુ સવિશેષ તો શ્રદ્ધા અને સંવેગરહિત ગણે છે તેથી નવકારમંત્ર ઉત્તમ ફળદાયક છતાં જીવો શુભ ભાવના સંસ્કાર સુધી કથંચિત પહોંચે છે. તેમાં વળી લૌકિક ભાવ હોય તો મંત્ર પાપનાશક બનતો નથી. નવકાર મારો પ્રાણ છે, તેમાં જ મારું હિત છે તે શ્રદ્ધા, મારે અન્ય પ્રકારો ત્યજી આ જ આરાધન કરવા જેવું છે તેવો સંવેગ ભાવ હોય તો ભૂમિકા પ્રમાણે નવકા૨-નવપદ ફળે. શાન પંચપરમેષ્ઠિના સ્વરૂપનું, તેમના ગુણોનું સૂક્ષ્માતિસૂક્ષ્મ જ્ઞાન ધરાવે, પરંતુ પાપથી રહિત થવા માટે મારે આ જ સાધન છે તેવું આંતરિક · કે શ્રદ્ધા ન થાય તો પણ નવકાર મુક્તિદાયક થતો નથી. યદ્યપિ નવકારમંત્રની સાધનામાં અન્ય અંગો છે. સંયમ, તપ, અનાસક્તિ, લોકોત્તર માર્ગની રુચિ સવિશેષ ભાવશુદ્ધિ છતાં સંભવ છે કે ઘણા સંક્લેષ પરિણામ થાય, દુર્વિચારથી ઘેરાઈ જાય ત્યારે નિરંતર નવકારમંત્ર રટણ કરવાથી તેની તીવ્રતા જરૂર ઘટશે. કર્મસત્તાનાં મૂળ ઢીલાં કરવાં અને આત્મશક્તિને કાર્યશીલ બનાવવી. તેવા સમયમાં જેમ જૂના ઘરની જગાએ નવું ઘર ઊભું કરનારને જૂના ઘરના બધા જ તત્ત્વ મંથન ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy