SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ લાખ પૂર્વનું આયુષ્ય હતું. તેઓ સુવર્ણના જેવા વર્ણવાળા અને વૃષભ લાંછનવાળા હતા. તેમને સો પુત્ર હતા. મોટાનું નામ ભરત હતું, જેમને આરિલાભવનમાં કેવળજ્ઞાન થયું હતું અને ૯૯ પુત્રો દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા હતા. ૨. શ્રી અજિતનાથઃ અયોધ્યાનગરીમાં જન્મ્યા, તેમના પિતા જિતશત્રુરાજા અને તેમની માતાનું નામ વિજયારાણી હતું. તે રાજા રાણી પ્રથમ પાસાબાજી રમતાં ત્યારે રાણી હારી જતી અને રાજાની જીત થતી હતી. અને ભગવંત ગર્ભે આવ્યા પછી રાણી જીતે અને રાજા હારે, એવો ગર્ભનો મહિમા જાણીને અજિતનાથ નામ દીધું. તેમનું સાડાચારસો ધનુષ્ય પ્રમાણ શરીર, બહોંતેર લાખ પૂર્વનું આયુ, સુવર્ણ વર્ણ અને લાંછન હાથીનું હતું. ૩. શ્રી સંભવનાથ : શ્રાવસ્તિ નગરીમાં જન્મ્યા. તેમના પિતા જિતારિરાજા અને સેના રાણી માતા હતાં. દેશમાં દુકાળ હતો, છતાં ભગવંત ગર્ભે આવ્યાથી અણચિંતવ્યો પૃથ્વીમાં ધાન્યનો સંભવ થયો, તેથી સંભવનાથ નામ દીધું. તેમનું ચારશે ધનુષ્ય પ્રમાણ શરીર અને સાઠ લાખ પૂર્વનું આયુ હતું. તેઓ સુવર્ણ વર્ણવાળા તથા લાંછન ઘોડાનું હતું. ૪. શ્રી અભિનંદન સ્વામી : અયોધ્યા નગરીમાં જન્મ થયો હતો. તેમના પિતા સંવર રાજા અને સિદ્ધાર્થી રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઇંદ્રમહારાજ આવીને ભગવંતની માતાને ઘણીવાર સ્તવી જતા હતા તે માટે રાજા પ્રમુખે જાણ્યું કે એ ગર્ભનો જ મહિમા છે; માટે અભિનંદન નામ દીધું. સાડા ત્રણસેં ધનુષ્ય પ્રમાણ શરીર તથા પચાસ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન વાનરનું અને સુવર્ણ વર્ણવાળા હતા. ૫. શ્રી સુમતિનાથ : અયોધ્યા નગરીમાં જન્મ હતો. તેમના પિતા મેઘરથ રાજા અને સુમંગલા માતા હતાં. પ્રભુ ગર્ભમાં રહ્યાં પછી–તે ગામમાં એક વણિકની બે સ્ત્રીઓ હતી, તેમાં નાનીને પુત્ર હતો અને મોટી વંધ્યા હતી, પણ તે છોકરાનું પ્રતિપાલન બંને માતાઓ કરતી હતી. એમ કરતાં તે વાણિયો જ્યારે મરણ પામ્યો ત્યારે મોટી સ્ત્રી ધનની લાલચે કહેવા માગી જે “આ પુત્ર મારો, માટે જેનો પુત્ર હોય તેનું ધન થાય” તેમજ નાનીનો તો દીકરો હતો તેથી તેણે કહ્યું કે “એ પુત્ર મારો છે અને ધન પણ મારું છે.” એમ બન્ને શોક્યોનો ટંટો થયો. તે વઢતી વઢતી દરબારમાં આવી, તે વારે ગર્ભના મહિમાથી રાણીને સામાયિકોગ ૧૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy