SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા મર્યાદિતપણે કહી શક્યા છે. તેને માટે સામાન્ય માનવ શું કહી શકે. એ પરમાત્માનું સ્વરૂપ અચિંત્ય અને અપાર મહિમાવંત છે. એ પરમાત્મ સ્વરૂપ બહાર નથી પરંતુ તારા આ દેહદેવળમાં રહેલા ચૈતન્યમાં જ છુપાયેલું છે. તે સમાધિ ભાવથી અનુભવમાં આવે છે. સમાધિભાવ કે સામાયિક પર્યાયવાચી ભાવ છે. સામાયિક વડે અંતરના વિઘ્નો નાશ પામે છે. “આતમ અનુભવ ધ્યાન કી જો કોઈ પૂછે વાત, સો ગંગા ગુડ ખાઈ કે, કહે કૌન મુખ સ્વાદ ?” મુક્તિમાર્ગના ચાર અંગ સમ્યગુ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને ધ્યાન સમ્યગુ દર્શન-શ્રદ્ધાની શુદ્ધિ માટે જિનભક્તિ પૂજન, વંદન, નમન છે. સમ્યજ્ઞાન માટે સલ્લાસ્ત્રનું અધ્યયન, શ્રવણ છે. સમગુ ચારિત્ર માટે વ્રત, નિયમ, સંયમ, અહિંસા આદિ છે. સમ્યગૃધ્યાન માટે અનશનથી માંડીને કાયોત્સર્ગ સઘળા તપ છે. - આ ચારે અંગની અખંડ સાધના કર્મક્ષય કરે છે. તે જીવ અનંત ચતુષ્ટયને પામે છે. સમ્યગુ શ્રદ્ધા રહિત જ્ઞાન સમ્યગ બનતું નથી. જ્ઞાન વગર ચારિત્રનું નિર્માણ થતું નથી. ચારિત્રહીન સમ્યગુ ધ્યાન પામતો નથી. આ ચારે અંગમાંથી કોઈ એકની અવગણના એ વિરાધના છે. આ ચારેના સુમેળથી ચારેની સંપૂર્ણ સિદ્ધિ સિદ્ધપદને પ્રગટ કરે છે. ૧૧૬ : ભવાંતનો ઉપાય : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy