SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ મને ત્યજી દેશે તેમ હું આવુ પૂરું થતાં વિદાય થઈશ ત્યારે એ સૌને ત્યજવા પડશે. કર્મની આવી પરાધીન દશા જાણીને સાધક પ૨પદાર્થોથી ભિન્ન પોતાના સ્વરૂપમાં સુખ માને છે. જેવી રાગની તીવ્રતા તેવી દ્વેષની તીવ્રતાથી જીવો વિચારે છે કે હવે આ પદાર્થની સામે પણ ન જોવું. છતાં કર્મવશ તે જ પદાર્થોને સેવે છે. આવું વિચારી સામાયિકનો ઉપાસક વૈરાગ્ય પામે છે. તે પુનઃ પુનઃ ચિંતવે છે કે હવે આ રાગ-દ્વેષ કરવા જેવા નથી. આવી વિષમ પરિસ્થિતિમાં રહેવું નથી. હવે એક આત્માર્થ જ સેવવો છે. તે માટે સંત્સંગ અને સંયમનું સેવન માટે ઉચિત છે. તેમ કરતાં કંઈ વિઘ્ન કે અંતરાય આવે તો સમતાભાવે મારે આત્મર્થ સાધવો છે. એકાંતે સત્પુરુષોના જીવનનાં રહસ્યોના મર્મ સમજે છે. તેમના ગુણોનું ચિંતન કરે છે. સમાગમે તેમના સંયમાદિની અનુમોદના કરે છે. 1 વર્ષાનું પાણી છીપમાં પડે મોતી બને. માનવના જીવનમાં પ્રભુનાં વચન પડે, પરિણામ પામે તો તે અમૃત બને. પરંતુ સંસારી જીવ અનેક ઇચ્છાઓથી સંતપ્ત છે. અગ્નિની ઉષ્ણતામાં શીતળતાનો અનુભવ કેવી રીતે થાય ? જ્યાં જીવ મનને આધીન આત્મા પણ મનને આધીન. શીર અને મનની દોસ્તી છે, એટલે શરીરને અસુખ પડે તેમ મન થવા ન દે. અગ્નિ સાથે શરીર કામ કરે પણ દાઝે નહિ તે મનની કુશળતા છે. વિષયના વિષનું પોષણ એ મન દ્વારા થાય. કષાયની કાલિમાં એ મન દ્વારા થાય એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા હોવા છતાં ચોપડે લાખ અને ાથમાં રાખ જેવી માનવજીવનની દશા છે. ૯૮ * અરે ચપ્પુ કાતર જેવા શસ્ત્રના યોગ્ય ઉપયોગની કુશળતા મન પાસે છે, તેથી તો એ શસ્ત્રોનો ઉપયગો કર્યા છતાં આપણને રોજ ઘા પડતા નથી. તો પછી આ મન દ્વારા જીવને ક્રોધાદિથી બચાવી શકાય કે નહિ ? દુર્ગતિમાં પડતો બચાવી શકાય કે નહિ ? ભવાંતનો ઉપાય : Jain Education International T For Private & Personal Use Only I । www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy