SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સાકેત સંતની સ્થિતપ્રજ્ઞતા ભારતવર્ષની ભૂમિ જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્મ અને સંસ્કૃતિથી બનેલી ત્રિવેણીના સંગમથી પવિત્ર થયેલી છે. બૌદ્ધ ધર્મના પ્રસ્થાપક ભગવાન બુદ્ધ નિર્વાણપદ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન, તપ, ચારિત્ર, સંયમ, ઉપવાસ, સ્વાધ્યાય, ધ્યાનાદિ માર્ગો દ્વારા નિર્વાણપદ મેળવ્યું. તેમના મૃત્યુ બાદ બૌદ્ધ ધર્મની મુખ્ય બે શાખાઓ મહાયાન અને હીનયાન વિકસી. પછી તેમાંથી ચાર પ્રશાખાઓ જેવી કે સૌત્રાન્તિક, ક્ષણિકવાદી, વિજ્ઞાનવાદી અને વૈભાષિક નિષ્પન્ન થઈ. મુખ્ય શાખાઓ માધ્યમિક, યોગાચાર, વૈભાષિક અને સૌત્રાન્તિક ગણાવાય છે. પ્રસ્તુત લેખમાં ભગવાન બુદ્ધના જીવનના બે પ્રસંગો પર દષ્ટિપાત કરીએ. બુદ્ધના જીવનમાં જે પ્રસંગ બન્યો તેવા પ્રસંગો આપણા જીવનમાં પણ ક્યારેક બનતા હોય છે, પરંતુ આપણે બધાં પ્રતિકર્મમાં માનનારાં છીએ. ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ભગવાન કૃષ્ણ જેવા મહાપુરુષો કર્મમાં જીવનારા હતા. તેમનાં જીવન પર દષ્ટિપાત કરતાં પ્રતિકર્મનું નામનિશાન પણ દષ્ટિગોચર થતું નથી. - એક વાર એક વ્યક્તિ ભગવાન પાસે આવી ઊભી રહી અને તેમના પર ઘૂંકી. તેની બુદ્ધ પર જરા પણ અસર ન થઈ. તેમના પુષ્પસમ પ્રફુલ્લિત અને પ્રમુદિત મુખ પર જરા જેટલી અસર ન થઈ. ઘૂંકને લૂછતાં તેમણે પૂછ્યું: ‘ભાઈ, તારે બીજું કંઈ કહેવું છે ?' થુંકનાર વ્યક્તિ આથી વિસ્મિત થઈ. તેણે ઘણાસ્પદ કાર્ય કર્યું હતું, છતાં ક્રોધને બદલે મીઠા આવકારથી ચકિત થઈ તેણે જગતમાં આવી. પ્રથમ વ્યક્તિ જોઈ. ઘૂંકનારે સંકોચ અનુભવ્યો. શો જવાબ આપે? બુદ્ધના મીઠા આવકારથી તે વધુ મૂંઝાયો. ભગવાન બુદ્ધ પ્રતિકર્મ કર્યું હોત તો પોતાના અણછાજતા વર્તનથી તે ક્રોધ કરત. તે માટે સહેજ પણ આશ્ચર્ય ન થાત. કારણ કે તે પ્રતિકર્મનો પ્રત્યુત્તર ઘડીને આવ્યો હતો, તેથી આવા અઘટિત કાર્ય માટે તેણે કશું વિચારવાનું જ ન હતું. ઉપરની પરિસ્થિતિ માટે આપણે સૌ પ્રતિકર્મ માટે કટિબદ્ધ જ રહીએ છીએ. બુદ્ધે પણ હસવાને બદલે એમ પૂછ્યું હોત કે આ રીતે ઘૂંકવાનું તારું શું પ્રયોજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy