SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ કાયોત્સર્ગ - ૨૩ કાઉસગની અનુપ્રેક્ષાપૂર્વક કરાતી ક્રિયા અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકે લઈ શકે તેવું શુભાતિશુભ અનુષ્ઠાન તે કાયોત્સર્ગ કરેમિ કાઉસગ્ગ, કામિ કાઉસગ્ગ' કહેવાથી કાયોત્સર્ગનો સ્વીકાર કરાયો અને તે “શ્રદ્ધા'... વગેરે કહીને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થાય તેવું સૂચવાય છે. કાયોત્સર્ગમાં કેટલો સમય રહેવું જોઈએ તે માટે “જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ' એટલે કે જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરી ન પારું ત્યાં સુધી. એક નવકાર એટલે એક શ્વાસોશ્વાસના ચાર લોગસ્સ કે તેથી વધુ અથવા ઉપસર્ગ કે અભિગ્રહ પૂરો ન થાય ત્યાં સુધી કાઉસગ્નમાં રહેવાનું હોય છે. કાયોત્સર્ગના બે પ્રકાર છે : ચેષ્ટા કાયોત્સર્ગ અને અભિનવ કાયોત્સર્ગ. ઉપદ્રવ કે પ્રતિજ્ઞા ધ્યાનમાં અભિનવ કાયોત્સર્ગ હોય છે; જ્યારે તે સિવાયના ચેષ્ટા કાયોત્સર્ગ ગણી શકાય. કાયોત્સર્ગમાં ધ્યાનના વિષય ઘણા હોઈ શકે; જેમ કે : નવકાર, લોગસ્સ, તત્ત્વચિંતન, તીર્થસ્થાપક ભગવાનના ગુણકીર્તન, જીવજીવાદિ તત્ત્વોનું ચિંતન, સ્થાન-વર્ણઅર્થ-આલંબનનું ચિંતન, પોતાના દોષોના પ્રતિપક્ષી ભાવનાનું અનુપ્રેક્ષણ, અનાત્મભાવમાંથી આત્મભાવમાં જે કંઈ લઈ જઈ શકે તે ચિંતનનો વિષય થઈ શકે. મહાવીર સ્વામી વગેરે તીર્થકરો તથા ભગવાન બુદ્ધે પણ ધ્યાનનો આશરો લીધો હતો. છેવટે કાયોત્સર્ગ પૂરો થતાં “નમો અરિહંતાણં' બોલવાપૂર્વક અહંદનમસ્કાર કરીને એટલે “નમો અરિહંતાણં' માથું નમાવીને બોલવું જોઈએ અને કાયોત્સર્ગ પારવું જોઈએ. ઊભા ઊભા કાયોત્સર્ગ કરાતો હોય તો નીચે લાંબા કરેલા હાથ ઊંચા કરી બે હાથની અંજલિ જોડીને પારી ચૈત્યવંદન હોય તો સ્તુતિ બોલવી જોઈએ. “નમો અરિહંતાણં' જો ન બોલે અને તેને સ્થાને “હું અરિહંતને નમસ્કાર કરું છું' કે અન્ય કોઈ આવા ભાવાર્થને બોલે તો પ્રતિજ્ઞાનો ભંગ થાય, કાઉસગ્ગ વિફળ ગણાય, દોષ લાગવાની સમભાવના રહે. કારણ કે, અન્ય મંત્રાદિમાં જોવાય છે કે મંત્રાક્ષરોને સ્થાને તેના ભાવાર્થવાળું કશું ઉચ્ચારાય તો લાભ ન થાય. આમ કથિત રીતિ પ્રમાણે જો કાઉસગ્ન ન પારે તો તેનો ભંગ થયેલો ગણાય, વિરાજિત થયેલો ગણાય. કાઉસગ્ગ એ શુભ ધ્યાનનાં સોપાનો ચઢવા માટેનું અદ્વિતીય, અનુપમ, અત્યંત સુંદર, મુભ અનુષ્ઠાન છે. જે માટે દેવસીય પ્રતિક્રમણમાં બોલાતી એક સઝાયમાં આમ કહેવાયું છે : કર પડિક્કમણું ભાવશું, દોય ઘડી શુભ ધ્યાન લાલ રે; કર કાઉસ્સગ શુભ ધ્યાનથી...' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy