SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ રપ૬ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન અત્યાર સુધીમાં આપણા અનંતાનંત પુગલપરાવર્તનો વ્યતીત થઈ ગયાં છતાં પણ આપણો ઉદ્ધાર કેમ ન થયો? આ પ્રશ્ન ઊઠે ખરો? કે આપણે તે તરફ આંખ આડા કાન જ કર્યા છે ? આપણી ક્રિયા તથા આરાધનાદિ સંમૂર્ણિમ, ગતાનુગતિક નિષ્ઠાણ હતી તેથી ને? શાસ્ત્રમાં અમૃત કે અસંગ ક્રિયાના ઉત્કૃષ્ટ ફળો વર્ણવ્યાં છે. જેમ કે - કર પડિક્કમણું ભાવશું.... સંબલ સાચું જાણ લાલ રે. શ્રી સામાયિક પ્રતાપથી લહિએ અમર વિમાન લાલ રે. લાખ ખાંડી સોનું લાખ વર્ષ સુધી આપો તો પણ તે એક સામાયિકની તોલે જરા પણ ન આવે એવું છે તેનું ફળ. સામાયિકની એક મિનિટનું ફળ બે પલ્યોપમ લેખે ગણતાં 48 મિનિટ સામાયિકનું ફળ 925-925-925 પલ્યોપમ એટલે 92 કરોડ 59 લાખ 25 હજાર ૯૨પ થવા જાય. આ કયું સામાયિક ? આપણું? ના રે ના ! આ તો અમૃત કે અસંગ ક્રિયાનું ફળ હોય. આપણે તો સામાયિકમાં બેઠાં હોઈએ અને મન તો હલકાં કર્મોમાં ગયું હોય પછી તેનું ફળ બોદું જ મળે ને? આટલી સેકન્ડ જેટલું આપણી સામાયિકનું ફળ ખરું? શ્રી ભગવાન મહાવીરસ્વામીને શ્રેણિક રાજા નરકમાંથી તેને બચાવી લેવા માટે પ્રાર્થના કરે છે. ભગવાન જણાવે છે કે નરકમાંથી બચવું હોય તો પુણિયા શ્રાવકના સામાયિકના ફળની માંગણી કરી. તે સમગ્ર મગધરાજ્ય આપવા તૈયાર હતા પણ એક સામાયિક પુણિયાનું પામી ન શક્યા! “શ્રમણો ઈવ સાવયો હવાઈ જખ્ખા' સામાયિકનું ફળ છે ને !' એક વાર સામાયિકમાં બેઠેલા પુણ્યાને અસુવિધા થઈ. પત્નીને પૂછતાં જણાયું કે બીજાનું જાણું ભૂલથી રસોઈ કરવામાં વપરાયું તેથી આજનું ભોજન રુચિકર ન લાગ્યું. છે આપણી આવી કક્ષાની સામાયિક ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy