SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરીપ્રસાદ ઝાલા પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા એટલે એક સાધુચરિત પ્રાધ્યાપક. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં સંસ્કૃત અને ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે એમણે યુવાન વયે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો અને ઉચ્ચતર સ્થાન કે પદ પ્રાપ્ત થવાની વારંવાર તક મળતી હોવા છતાં આજીવન એ જ કૉલેજમાં નિષ્ઠાપૂર્વક તેઓ કામ કરતા રહ્યા હતા. મુંબઈમાં ૬૫ વર્ષની વયે એમનું અવસાન થયું હતું. ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા એ એમનું પૂરું નામ હતું. પરંતુ વિદ્યાર્થીઓ અને અધ્યાપક સાથીઓમાં “ઝાલાસાહેબ’ના આદરણીય નામથી તેઓ વધુ જાણીતા હતા. કુટુંબીઓમાં “ભાનુભાઈ” નામે તેઓ ઓળખાતા. ૧૯૦૭ના એપ્રિલની ૬ઠ્ઠી તારીખે જામનગરમાં એમનો જન્મ થયો હતો. મેટ્રિક સુધીનો અભ્યાસ પણ એમણે ત્યાં જ કરેલો. એમના પિતાશ્રી ત્યારે “ચુનીકાકા'ના નામથી જામનગરમાં એક જાણીતા વૈદ્ય હતા. ઝાલાસાહેબે ૧૯૨૪માં મુંબઈ આવી એક સંબંધીને ત્યાં રહીને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. ૧૯૨૮માં મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષામાં મુખ્ય વિષય સંસ્કૃત સાથે તેઓ પ્રથમ વર્ગમાં બી.એ. થયા હતા. તેઓ વિદ્યાર્થી તરીકે સ્વભાવે ઓછાબોલા, સ્વમાની અને કંઈક શરમાળ હતા, પરંતુ પોતાની વિદ્યાપ્રીતિ અને અભ્યાસનિષ્ઠાથી પોતાના સંસ્કૃતના પ્રાધ્યાપક જર્મન પાદરી ફાધર ઝીમરમાનનાં પ્રેમ અને માન પ્રાપ્ત કરેલાં. ૧૯૩૦માં એમ.એ. થયા પછી એમની એ જ કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે નિમણૂક થઈ હતી. એમનું અવસાન થયું ત્યાં સુધી એમણે ત્યાં એકધારી નિષ્ઠાથી સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હતું. ઝાલાસાહેબે આરંભથી જ જે જીવનરીતિ અપનાવી હતી તેને એમણે આજીવન ચુસ્તપણે નિભાવી હતી. સમયપાલનના તેઓ અત્યંત આગ્રહી હતા. જૂના સમયના નાગરો પેઠે ઘરમાં તેઓ ધોતિયું પહેરતા પણ બહાર મોટે ભાગે આછા બદામી કે આછા પીળા રંગનો સૂટ, ટાઇ, વાધરી વિનાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy