SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ચીમનલાલ ચકુભાઈ શાહ ૩૭ સ્વસ્થતાથી બોલ્યો, પરંતુ આખો વખત પેટમાં સતત દુખ્યા કરતું હતું.” હું બેઠો હતો ત્યાં ડૉક્ટર આવ્યા. એમને તપાસીને ડૉક્ટરે કહ્યું કે હૉસ્પિટલમાં જઈને નિદાન કરાવવાની જરૂર છે. બે દિવસ પછી હૉસ્પિટલમાં તેઓ દાખલ થયા. ચીમનભાઈ ઘરનાં સ્વજનોને કેટલાક સમય પહેલાંથી કહેતા રહ્યા હતા : “મને હમણાં હમણાં પેટમાં વારંવાર જે દુખાવો થયા કરે છે કે કેન્સરનો જ હોવો જોઈએ, અને આ કેન્સરને કારણે થોડા સમયમાં મારું જીવન પૂરું થશે.” આવું કહેતી વખતે એમના ચહેરા ઉપર કે એમની વાણીમાં ચિન્તા કે ગભરાટનો જરાસરખો પણ અંશ જણાતો નહિ. નિદાન માટે તેઓ જૈન ક્લિનિકમાં દાખલ થયા અને ત્યાર પછી પેટનું ઑપરેશન થયું ત્યાં સુધીના દિવસો દરમિયાન તેઓ સવારથી સાંજ સુધી હૉસ્પિટલમાં તેમની ખબર જોવા આવનાર અનેક લોકોને મળતા, વાતો કરતા અને પોતાની જીવનલીલા હવે પૂરી થવામાં છે એવાં ગર્ભિત સૂચનો પણ કરતા. હૉસ્પિટલમાં પણ ક્યારેક તેઓ ખાટલા પર સૂવાને બદલે બહાર લોબીમાં સોફા પર બેઠા હોય અને બધાની સાથે હસીને વાતો કરતા હોય. એક વખત મેં કહ્યું પણ ખરું, “કાકા, અત્યારે તમે પોતે કોઈ દરદી જેવા લાગતા નથી, પરંતુ જાણે દરદીની ખબર જોવા આવ્યા હો એવા લાગો છો.” ઑપરેશન થયું ત્યાર પછી એમના જીવનનો એક નવો તબક્કો ચાલુ થયો. કેન્સરની ગાંઠ છે અને તે ઘણી પ્રસરી ગઈ છે એ પ્રકારનું નિદાન થયા પછી અને બાયપાસ સર્જરી થયા પછી ચીમનભાઈને અસહ્ય પીડા થવા લાગી. ક્યારેક એમને રાહત મળે તે માટે ઘેનનાં ઇજેક્શન પણ અપાયાં. તેઓ ઘણુંખરું પથારીમાં સૂતા હોય અને ઊંઘતા હોય અથવા અર્ધજાગ્રત દશામાં હોય. હવે એકસાથે વધારે સમય બેસવાની કે વાત કરવાની એમની શક્તિ ઘટતી જવા લાગી. જે બોલે તેમાં પણ વાક્ય પૂરું થતાં ઠીક ઠીક વાર લાગતી. એવે સમયે પણ એમણે “પ્રબુદ્ધ જીવન માટે લેખ લખાવ્યો. આ દિવસો દરમિયાન એમનું ધર્મચિંતન સવિશેષપણે ચાલ્યું. ધર્મ પ્રત્યે તેઓ પૂરી આસ્થાવાળા હતા. પરંતુ તેઓ બુદ્ધિશાળી હતા તેથી તર્કસંગત વાત સ્વીકારવાનું તેમને વધારે ગમતું. પરંતુ હવે તેઓ કંઈ વિશેષ ભાવાર્દ્ર બન્યા હતા. આ વિશ્વનાં તમામ ગૂઢ રહસ્યોનો તાગ મેળવવાનું ગજું મનુષ્યની બુદ્ધિમાં નથી, અને એથી પરમ તત્ત્વ પ્રત્યેની શરણાગતિનો ભાવ જ મહત્ત્વનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy