SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ વંદનીય હૃદયસ્પર્શ અમે ભાઈ-બહેનોમાંથી મને અને મારી નાની બહેનને પિતાશ્રી મોભા સાથે લઈ ગયા હતા. ત્યારે મારી ઉંમર પાંચ વર્ષની હતી. અમે એક વર્ષ મોભા રહ્યાં હોઈશું. પરંતુ એ સમયનું બધું જ ચિત્ર આજે પણ નજર સામે તાદેશ છે. ઈ.સ. ૧૯૩૨માં અમૃતલાલ બાપા પાદરે માંદા પડ્યા એટલે મોભાની દુકાન સંકેલીને પાદરા પાછા આવી જવું પડ્યું. અમૃતલાલ બાપાની તબિયત દિવસે દિવસે બગડતી ગઈ અને એમ કરતાં ઈ.સ. ૧૯૩૨માં બોંતેર વર્ષની વયે એમણે દેહ છોડ્યો. એમના અવસાનના સમય સુધી અમથીબા પાદરા રહ્યાં અને ત્યાર પછી મુંબઈ આવીને દીકરાઓને ત્યાં રહ્યાં. મારા પિતાશ્રીએ કેટલોક વખત બેંગ્લોર જઈને નોકરી કરી. કેટલોક વખત ગુજરાતમાં ધનસુરામાં જઈને નોકરી કરી પણ બહુ ફાવ્યું નહિ. એવામાં વડોદરામાં આર્ય નૈતિક નાટક કંપની નાટકના ખેલ માટે આવેલી. એ કંપની પછી મુંબઈ જવાની હતી. કંપનીને કોઈ હોશિયાર મુનીમની જરૂર હતી. કોઈકે કંપનીના માલિક નકુભાઈને પિતાશ્રીના નામની ભલામણ કરી. પિતાશ્રીએ એ જવાબદારી સ્વીકારી અને તેઓ એકલા મુંબઈ આવ્યા. નાટક કંપનીમાં થિયેટરમાં રહેવાનું અને ખાવાનું. થોડા મહિના એ નોકરી કરી પણ પગાર નિયમિત મળે નહિ. દરમિયાન મુંબઈમાં સ્વદેશી મારકેટમાં એક કાપડના વેપારીને ત્યાં નોકરી મળી ગઈ. એટલે પિતાશ્રીએ ખેતવાડી વિસ્તારમાં એક રૂમ ભાડે રાખી અને કુટુંબને મુંબઈ તેડાવ્યું. ઈ.સ. ૧૯૩૬ની એ વાત. બે વર્ષ કુટુંબનું ગુજરાન સરખી રીતે ચાલ્યું. ત્યાં મારકેટની બંધિયાર હવાને લીધે પિતાશ્રીને દમનો વ્યાધિ લાગુ પડ્યો. નોકરી છોડવી પડી. આવકનું કોઈ સાધન રહ્યું નહિ. મુંબઈ છોડીને પાછા પાદરા જવું પડે એવા સંજોગો ઊભા થયા. તે વખતે પિતાશ્રીના ફોઈના દીકરા ચંદુલાલ જેસંગલાલ દલાલે એમને હૂંફ આપી અને આર્થિક મદદ કરી. ચંદુભાઈ પોતે શેઠ કીકાભાઈ પ્રેમચંદના ગાઢ મિત્ર. એમણે શેઠ કીકાભાઈને પિતાશ્રીની તકલીફની વાત કરી. કિીકાભાઈએ પોતાના ટ્રસ્ટમાંથી દર મહિને આર્થિક સહાય ઘેર બેઠાં મનીઑર્ડરથી મળી જાય એવી વ્યવસ્થા કરી આપી. ચંદુભાઈએ પિતાશ્રીને નાનાં છોકરાંઓને ભણાવવાનાં બેત્રણ ટ્યૂશન બંધાવી આપ્યાં કે જેથી તબિયત સાચવીને કામ કરી શકાય. માતા રેવાબાએ કપડાં, વાસણ વગેરે બધું જ ઘરકામ હાથે કરવાનું ચાલુ કરી દીધું. અને એમ કરતાં કુટુંબ મુંબઈમાં ટકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy