SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ પરમાનંદભાઈ કાપડિયા પરમાનંદભાઈ એ આ રીતે બહુ જ નિખાલસતાથી સભ્યોને આગ્રહ કરીને થેલી અર્પણ કરવાનો વિચાર માંડી વળાવ્યો હતો. - પરમાનંદભાઈને નવી નવી વ્યક્તિઓને મળવાનો ભારે શોખ હતો. દૈનિક છાપાંઓમાં કે કોઈ સામયિકમાં કોઈ નવી વ્યક્તિનો પરિચય આવ્યો હોય તો પરમાનંદભાઈ કોઈકનો સંપર્ક કરી તે વ્યક્તિ વિશે તપાસ કરાવી તેને મળવા પહોંચી જતા. અધ્યાપક હોય કે વિજ્ઞાની હોય, અર્થશાસ્ત્રી હોય કે રાજનેતા હોય, સમાજસેવક હોય કે સાધુ-સંન્યાસી હોય, પરમાનંદભાઈ તેને મળવા ઉત્સુક રહેતા. સાથે મિત્રોને પણ લઈ જતા. એવી રીતે પોતાને અપરિચિત એવી વ્યક્તિને મળવા જવામાં તેઓ પોતે વિનમ્ર અને ગુણગ્રાહી હતા. તેમ છતાં દંભી કે અભિમાની વ્યક્તિથી અંજાઈ જાય તેવા તેઓ નહોતા. વ્યક્તિ સત્ત્વશીલ લાગે તો “સંઘ'ના કાર્યાલયમાં તેનો વાર્તાલાપ ગોઠવે. વાર્તાલાપ સારો લાગે તો પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પણ તેનું વ્યાખ્યાન ગોઠવે. એક દિવસ ઋષભદાસ રાંકાનો ફોન આવ્યો : “જબલપુરથી એક પ્રોફેસર આવ્યા છે. મળવા જેવા છે.” પરમાનંદભાઈએ મને વાત કરી. સેંટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રોફેસર તરીકે હું ભણાવતો હતો એટલે પરમાનંદભાઈએ મને સાથે લઈ જવાનું વિચાર્યું. સમય નક્કી થયો એટલે સંદેશો આવ્યો. એમની સાથે ઋષભદાસ રાંકાને ઘેર અમે પહોંચ્યા. ઊંચા, આછા શ્યામવર્ણા, દાઢીવાળા, મસ્તકે સહેજ ટાલવાળા, ખાદીનાં કફની અને પાયજામો પહેરેલા બહુ તેજસ્વી મુખમુદ્રાવાળા એ પ્રોફેસરનો પરિચય કરાવતાં રાંકાજીએ કહ્યું, “આ પ્રોફેસર રજનીશ છે. જબલપુરમાં ફિલૉસોફીના પ્રોફેસર છે. ભગવાન મહાવીર વિશે સારું બોલે છે. આપણે ત્યાં બોલાવવા જેવા છે.” પ્રો. રજનીશ સાથે જુદા જુદા વિષયો ઉપર અમારે કલાકેક વાતચીત થઈ. બહાર નીકળી પરમાનંદભાઈએ કહ્યું, “માણસ જાણકાર અને મૌલિક વિચારવાળા લાગે છે. ભારત જૈન મહામંડળે એમનું વ્યાખ્યાન ગોઠવ્યું છે. આપણે પહેલાં એમને સાંભળવા જોઈએ. સાથે તમે આવજો.” અમે રજનીશને સાંભળવા ગયા. એમની મૌલિક વાકુધારાથી પ્રભાવિત થયા. આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે પરમાનંદભાઈએ એમને નિમંત્રણ આપ્યું. પછી તો પ્રો. રજનીશનું વ્યાખ્યાન પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વારંવાર ગોઠવાતું ગયું. પરમાનંદભાઈ રજનીશ પર આફરીન હતા. તેમની કેટલીક શિબિરોમાં પણ તેઓ ગયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy