SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ વંદનીય હૃદયસ્પર્શ હેઠળ માહિતી આપવામાં આવી છે. શ્રી હરિભદ્રસૂરિ વિશે આટલી બધી માહિતી અન્ય કોઈ એક જ ગ્રંથમાં હજુ સુધી જોવા નથી મળી. “યશોદોહન' ગ્રંથ એમણે વર્તમાનકાળના પૂ. શ્રી યશોદેવસૂરિની પ્રેરણાથી લખ્યો હતો. એમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનાં જીવન અને કવન વિશે પુષ્કળ માહિતી આપવામાં આવી છે. “વિનય-સૌરભ' પ્રમાણમાં નાનો ગ્રંથ છે. એમાં રાંદેરના શ્રી વિનયવિજયજી મહારાજનાં જીવન કવનનો પરિચય આપવામાં આવ્યો છે. હીરાલાલભાઈએ ભગવાન મહાવીર સ્વામી વિશે જુદે જુદે સમયે કેટલાક લેખો લખ્યા હતા. આવા કેટલાક લેખો, વાર્તાલાપો, સ્તુતિઓ ઇત્યાદિનો એક સંગ્રહ પૂ. શ્રી વિજયકસ્તુરસૂરિના શિષ્ય પૂ. શ્રી વિજયચંદ્રોદ્યસૂરિની પ્રેરણાથી “જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર'ના નામથી ૧૯૬૯માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ગ્રંથમાં તીર્થકરોનાં લાંછનો અને લક્ષણો, આઠ પ્રાતિહાર્ય, મહાવીર સ્વામીના વિવિધ ભવોનાં સગાં, મહાવીર સ્વામીના પૂર્વ ભવના બે વેરીઓ, મહાવીર સ્વામીનો સાંસારિક પક્ષ, વીર વર્ધમાન સ્વામીના વર્ષાવાસ, મહાવીર સ્વામીની સાધનાની પરાકાષ્ઠા, મહાવીર સ્વામીના જીવનની વિશિષ્ટ ઘટનાઓ ઈત્યાદિ પચીસેક લેખો તથા “વીરથ”નો ગુજરાતી ભાવાનુવાદ ઇત્યાદિ આપવામાં આવ્યા છે. આ બધામાંથી ઘણી બધી પારિભાષિક માહિતી આપણને સાંપડે છે અને લેખકનું વાંચન કેટલું બધું વિશાળ હશે એની પ્રતીતિ કરાવે છે. હીરાલાલભાઈ જેમ સમર્થ સંશોધક છે તેમ મર્મજ્ઞ કવિ પણ છે. એમની સાહિત્યિક કારકિર્દી સંસ્કૃતમાં કાવ્યરચનાથી થઈ હતી. એમણે જુદે જુદે વખતે ભિન્ન ભિન્ન પ્રકારની કાવ્યરચના કરી હતી. એમણે આગમોનાં પદ્યોનો અનુવાદ ગુજરાતી પદ્યોમાં કર્યો છે. આ ઉપરાંત એમણે વિવિધ પ્રકારનાં કાવ્યો લખ્યાં છે, જેનો વિષય મુખ્યત્વે ધાર્મિક રહ્યો છે. એમણે સવાસોથી વધુ જે કાવ્યો લખ્યાં છે તેમાં ૩૬ કાવ્યો તો હરિયાળીના પ્રકારનાં છે. આ પ્રકારની કૃતિઓમાં એમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. “હરિયાળી-સંચય” નામનો એમનો સંગ્રહ ૧૯૬૯માં પ્રકાશિત થયો છે. હરિયાળીનો પ્રકાર ઉખાણાં જેવો. છે. એટલે એવી કવિતાનું વિવરણ સામાન્ય વાચક માટે આવશ્યક છે. એમણે આ હરિયાળીઓનાં વિતરણ પણ સાથે આપેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy