SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ વંદનીય હૃદયસ્પર્શ શ, કે, 3. ગુ. શુ. ૧ ૨ મું.રા. ૨ ચં (આ ગ્રહોના અંશ આ પ્રમાણે છે : સૂર્ય-૧૨, ચંદ્ર-૧૩, મંગળ-૨, બુધ૧, ગુરુ-૨, શુક્ર-૯, શનિ-૨૬, રાહુ-૧૧) રસિકદાસના પિતા તે વરજદાસ અને એમના પિતા તે દુલ્લભદાસ. એમની પેઢીનાં નામ આ પ્રમાણે છે : રસિકદાસ > વરદાસ – દુલ્લભદાસ » હરકિશનદાસ – ગુલાબચંદ – ઝવેરશા - કસ્તુરશા » લખમીશા. રસિકદાસના વડવાઓ ઈસવીસનની અઢારમી સદીમાં ભાવનગરથી સૂરત વેપારાર્થે આવીને વસેલા. આ વડવાઓના પણ વડવાઓ મૂળ ઉત્તર ગુજરાતમાં પાટણના વતની હતા. તેઓ વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તેઓ સ્થળાંતર કરતા કરતા કાઠિયાવાડમાં આવેલા. ત્યાંથી કેટલાક સૂરત આવીને વસેલા. એમની જ્ઞાતિ દશા દિશાવળ હતી. આ જ્ઞાતિના કેટલાક સભ્યો જૈન ધર્મ પાળતા અને કેટલાક વૈષ્ણવ ધર્મ. તેઓ વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર રહેતો. એમની જ્ઞાતિ પાટણ, ભાવનગર, સૂરત, મુંબઈ વગેરે શહેરો અને આસપાસનાં ગામોમાં પથરાયેલી રહી છે. દુલ્લભદાસે વેપારાર્થે સૂરતમાં આવીને નાણાવટમાં વસવાટ ચાલુ કરેલો. દુલ્લભદાસના પુત્ર વરજદાસના જીવનમાં એક ઘટના એવી બની કે જેથી તેઓ વૈષ્ણવ મટીને જૈન બની ગયા હતા. એક વખત સૂરતના પોતાના ઘરના વાડામાં ખોદકામ કરતાં ધાતુની એક નાની જિનપ્રતિમા નીકળી. પોતે વૈષ્ણવ હતા એટલે આ પ્રતિમાનું શું કરવું તે વિશે વિચાર કરતાં છેવટે એવો નિર્ણય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy