SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ હંસાબહેન મહેતા ૩૨૭ છે. તમારી યુનિવર્સિટીમાં તમારે એ કેવી રીતે કરવું તેનો રસ્તો તમે શોધી કાઢો.' હંસાબહેને એવો સરસ ઉપાય શોધી કાઢ્યો કે ચંદ્રવદન જીવનના અંત સુધી સયાજીરાવ યુનિવર્સિટીના થઈને રહ્યા. હંસાબહેને ચંદ્રવદનને વિઝિટિંગ પ્રોફેસર તરીકે નિમણૂક આપી. યુનિવર્સિટીની હોસ્ટેલમાં મનુભાઈ મહેતા હૉલમાં (આ મનુભાઈ મહેતા હૉલ તે હંસાબહેન મહેતાના પિતાશ્રીની યાદમાં હૉસ્ટેલને અપાયેલું નામ) ઉપરના માળે એક સ્વતંત્ર, અલાયદો ખંડ આપવામાં આવ્યો અને યુનિવર્સિટીમાં એવી રીતનો ઠરાવ થયો કે ચંદ્રવદન મહેતા જીવે ત્યાં સુધી એ રૂમમાં રહી શકે. વળી એમના અધ્યાપનકાર્ય માટે પણ સમયનું કોઈ બંધન રાખવામાં આવ્યું નહિ. જ્યારે ઇચ્છા થાય ત્યારે અગાઉથી જાણ કરીને વર્ગ લઈ શકે. પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે. બહારગામ કે વિદેશ જવા માટે તેમને કોઈ રજા-અરજી કરવાની રહે નહિ, કારણ કે વિઝિટિંગ પ્રોફેસર તરીકેની એમને નિમણૂક આપવામાં આવી હતી. આમ હંસાબહેને જે રસ્તો કાઢ્યો એથી ચંદ્રવદનને પોતાને, સયાજીરાવ યુનિવર્સિટીને અને ગુજરાતી સાહિત્યને ઘણો લાભ થયો. આ બાજુ ડૉ. જીવરાજ મહેતા ગાંધીજીના અંગત તબીબ બન્યા હતા. એમણે ગાંધીજીની વર્ષો સુધી સેવા કરી હતી. જીવનની ઉત્તરાવસ્થામાં ડૉ. જીવરાજ મહેતા તબીબી વ્યવસાય કરતાં સક્રિય રાજકારણમાં વધુ રસ લેવા લાગ્યા હતા. ૧૯૬૦માં જ્યારે ગુજરાતના સ્વતંત્ર રાજ્યનું નિર્માણ થયું ત્યારે એના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા થયા હતા. એમણે એ પદ ઉપર રહી પોતાની વહીવટી કુશળતાથી ગુજરાત રાજ્યની ઘણી સારી સેવા કરી હતી. ૧૯૮૭માં એમનું અવસાન થયું તે પછી હંસાબહેન મુંબઈમાં આવીને પોતાનાં સંતાનો સાથે રહ્યાં ત્યારે એસીની ઉંમરે પહોંચેલાં હંસાબહેન જાહેર જીવન અને જાહેર સંપર્ક સમેટી લઈ એકાંતપ્રિય બની વાંચન-મનનમાં પોતાનો સમય પસાર કરવા લાગ્યાં. પછીથી તો તબિયતની પ્રતિકૂળતા પણ રહેવા લાગી. હંસાબહેનનાં જીવનનાં અંતિમ વર્ષો શાંતિમાં પસાર થયાં હતાં. શક્તિ અનુસાર પ્રાપ્ત થતા જાહેર જીવનનો જેમ આનંદ છે તેમ જાહેર જીવનમાંથી સદંતર નિવૃત્ત થઈ શાંત, એકાંતપ્રિય જીવન જીવવાનો પણ એક વિશેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy