SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. ભોગીલાલ સાંડેસરા ૩૦૧ અને ઉશ્કેરાટ પણ અસ્વાભાવિક લાગ્યા. અલબત્ત તેમના વિચારોમાં કે અભિવ્યક્તિમાં અસંબદ્ધતા નહોતી. ચારેક વાગ્યે તેઓ ઊભા થયા. ત્યારે મને કંઈક રાહત લાગી પણ ત્યાં તો તેમણે મને કહ્યું, “રમણભાઈ, તમે તૈયાર થઈ જાવ. આપણે અહીંથી ભારતીય વિદ્યાભવનમાં જવું છે. ત્યાં “નવનીત-સમર્પણ'ના તંત્રી ઘનશ્યામ દેસાઈને મળવું છે.' હું તૈયાર થઈ ગયો અને ભારતીય વિદ્યાભવનમાં પહોંચ્યા. ડૉ. સાંડેસરાને આવેલા જોઈને શ્રી ઘનશ્યામ દેસાઈ માનપૂર્વક ઊભા થઈ ગયા અને સરસ આવકાર આપ્યો. અમે બેઠા. ડૉ. સાંડેસરાએ માંડીને વાત કરી. તેઓ સતત બોલતા જ રહ્યા, પરંતુ તેમાં એક મુખ્ય વાત હતી. તેમણે ઘનશ્યામ દેસાઈને કહ્યું કે, “પ્રાચ્ય વિદ્યા મંદિરમાં મારા નામે આવતું નવનીત-સમર્પણ” હું ઘરે લઈ ગયો છું અને તેના જૂના અંકો મેં પસ્તીમાં વેચી નાખ્યા છે આવો આરોપ મારા ઉપર કરવામાં આવ્યો છે. પરંતુ તમે મને “નવનીત-સમર્પણ'ના અંકો જે મોકલતા હતા તે તે મારા અંગત સંબંધને કારણે ભેટ તરીકે મોકલતા હતા, નહિ કે પ્રાચ્ય વિદ્યા મંદિરને માટે. અંકના રેપર ઉપર મારું જ નામ લખાતું. છતાં આવો આક્ષેપ થયો છે તો મારે એ લોકો આગળ સાબિતી રજૂ કરવી છે કે આ અંક મને અંગત રીતે ભેટ તરીકે મળતો હતો. તો તમે તમારા “નવનીત-સમર્પણ'ના લેટર પેડ ઉપર આવું સર્ટિફિકેટ મને લખી આપો. આવા ક્ષુલ્લક આક્ષેપની વાત સાંભળીને ઘનશ્યામ દેસાઈને પણ બહુ આશ્ચર્ય થયું. આવા મૌખિક આક્ષેપોને ગણકારવાના ન હોય કે તેનો જવાબ આપવાનો ન હોય. પરંતુ ડૉ. સાંડેસરાને આવા આક્ષેપની માનસિક ચોટ લાગી ગઈ હતી. “હું કંઈ ચોર નથી.' એવું તેઓ વારંવાર બોલતા હતા એ ઉપરથી પણ મને લાગ્યું કે ડૉ. સાંડેસરાએ આવા આઘાતના કારણે માનસિક સ્વસ્થતા ગુમાવી દીધી છે. તેઓ ઘનશ્યામ દેસાઈનો હાથ પણ વારંવાર જોરથી દબાવીને ખૂબ ઊંચા અવાજે બોલતા. એમની વાતમાં અલ્પવિરામ આવતો નહિ અને અમે વચ્ચે કંઈ બોલીએ તો તે સાંભળતા પણ નહિ. આટલી વાત કરતાં કરતાં તો ભારતીય વિદ્યાભવનમાં ત્રણ કલાક વીતી ગયા અને છતાં ડૉ. સાંડેસરા શાંત થયા નહોતા. ઑફિસ બંધ કરવાનો વખત થયો એટલે ભારતીય વિદ્યાભવનમાંથી અમે નીચે ઊતર્યા. ડૉ. સાંડેસરા સામેની ગલીને છેડે ગંગાદાસ વાડીમાં પોતાના સગાને ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy