SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ વંદનીય હૃદયસ્પર્શ પરીક્ષકોએ મને જે તાલીમ આપી એને પરિણામે પ્રશ્નપત્રો તૈયાર કરવાની એક સૂઝ આવી ગઈ હતી.’ એમ. એસ. યુનિવર્સિટીના પરીક્ષકોની બેઠકમાં આ મારો પહેલો અનુભવ હતો. પરંતુ તે જ વખતે ડૉ. સાંડેસરાએ બધાની વચ્ચે કહ્યું કે, ‘૨મણભાઈએ તો આ વખતે છેલ્લી ઘડીએ આપેલું આપણું નિમંત્રણ સ્વીકાર્યું છે. પરંતુ હવે એમને મારી આજ્ઞા છે કે આપણી યુનિવર્સિટીની પરીક્ષાનું કામ હું નિવૃત્ત થાઉં ત્યાં સુધી સ્વીકારે.' ડૉ. સાંડેસરા સાથે આ રીતે તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી પરીક્ષક તરીકે મારે કામ કરવું પડ્યું. એમની નિવૃત્તિ પછીના વર્ષે પણ નિયમ મુજબ યુનિવર્સિટીનું નિમંત્રણ આવ્યું. પરંતુ મેં તેનો અસ્વીકાર કર્યો. તે વખતે ડૉ. સુરેશ જોશીનો મારા પર પત્ર આવ્યો કે પોતાની યુનિવર્સિટીમાં એમ.એ.ની પરીક્ષાનું કામ તેઓ પહેલી વખત સ્વીકારે છે અને પરીક્ષકોના કન્વીનર તરીકે સ્થાનિક અધ્યાપક તરીકે પોતાની જવાબદારી છે. એટલે મારે ઓછામાં ઓછું એક વર્ષ તેમની સાથે પરીક્ષાનું કામ કરવું. ડૉ. સુરેશ જોશીના આગ્રહને વશ થઈ વધુ એક વર્ષ માટે એમ. એસ. યુનિવર્સિટીના પરીક્ષક તરીકે મેં કામ કર્યું અને પછી કાયમ માટે છોડી દીધું. ૨૯૮ ડૉ. સાંડેસરાનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષા અને સાહિત્યનો રસ એટલો બધો હતો કે તેમણે ઘણા ગ્રંથોનું ઝીણવટ પૂર્વક અધ્યયન કર્યું હતું. તેમને સેંકડો શ્લોકો કંઠસ્થ હતા. વાતચીતમાં તેઓ તરેહતરેહના શ્લોક ટાંકતા. એવું નહોતું કે તેમણે માત્ર સાહિત્યના શાસ્ત્રીય ગ્રંથોનું જ અધ્યયન કર્યું હતું. ધર્મ, તત્ત્વજ્ઞાન, પુરાણ, આયુર્વેદ, જ્યોતિષ વગેરે ઇતર શાસ્ત્રોનું પણ ઠીક ઠી.ક અધ્યયન કર્યું હતું અને કેટલીક વાર તો તેઓ એવા ગ્રંથોમાંથી હળવાં અવતરણો ટાંકતા કે વાતચીત દરમિયાન વાતાવરણ હળવું બની જતું. મુંબઈ યુનિવર્સિટીમાં એમણે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ‘શબ્દ અને અર્થ’ વિષય ઉપર પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં. એમાં ઘણાં રસિક દૃષ્ટાંતો ટાંક્યાં હતાં. ડૉ. સાંડેસરા અતિથિવત્સલ હતા. યુનિવર્સિટીના કામકાજ માટે પોતે જ્યારે યુનિવર્સિટી તરફથી નિમંત્રણ આપ્યું હોય ત્યારે તેઓ પોતાના ઘરે ઊતરવા માટે આગ્રહ કરતા. જમવા માટે તો અચૂક એમને ઘરે જવાનું રહેતું. આ રીતે ડૉ. સાંડેસરાનું આતિથ્ય ઘણીવાર મેં માણ્યું છે. તેઓ પ્રાચ્ય વિદ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy