SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ ફાધર બાલાશેર કલાક માથાકૂટ ચાલી હશે. ફાધર રેક્ટરને લાગ્યું કે ફાધર બાલાગે એટલા બધા મક્કમ છે કે માનશે નહિ. માટે હવે બીજું શસ્ત્ર અજમાવવું પડશે. કૉલેજમાં પ્રિન્સિપાલની ઉપરની પદવી તે રેક્ટરની. ફાધર સન્માર્તિએ કહ્યું, “ફાધર બાલાગે૨, હું તમને વિનંતી કરીને થાક્યો, પણ તમે માનતા નથી. હવે હું રેક્ટર તરીકે તમને આજ્ઞા કરું છું કે તમારે કૅમ્પ છોડીને મારી સાથે મુંબઈ આવવાનું છે.' ઉપરી ફાધરની આજ્ઞા થતાં એક શબ્દ બોલ્યા વિના અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના ફાધર પથારીમાં તરત બેઠા થઈ ગયા. બે મિનિટમાં પોતાની બધી વસ્તુઓ બૅગમાં ગોઠવી લઈને તૈયાર થઈ ગયા અને ફાધર સન્માપ્તિ સાથે મુંબઈ આવી ગયા. ઉપરીઓ પ્રત્યે ફાધર બાલાગે કેવા આદરભાવવાળા અને વિનયવાળા હતા તે આ પ્રસંગ પરથી જોઈ શકાય છે. ફાધર બાલાગેરે ઝેવિયર્સ કૉલેજના આચાર્ય તરીકે ૧૯૪૯થી ૧૯૫૮ સુધી કામ કર્યું. ખ્રિસ્તી મિશનરી પાદરીઓની એક પ્રથા સારી છે કે કોઈ પણ હોદ્દા પરની વ્યક્તિ જીવનના અંત સુધી એ હોદ્દા ઉપર જ રહે એવું અનિવાર્ય નથી. સામાન્ય રીતે પાંચથી નવ વર્ષ સુધી કોઈ પણ ફાધર એ હોદ્દા પર રહે, પછી નિવૃત્ત થાય. નિવૃત્ત થયેલા ફાધરને બીજા કોઈ ફાધરના હાથ નીચે અધ્યાપક તરીકે કામ કરવામાં કોઈ શરમ-સંકોચ નડે નહિ. ફાધર બાલાગેરનું વ્યક્તિત્વ જ એવું વાત્સલ્યભર્યું હતું કે સૌ એમના તરફ ખેંચાય. ઝેવિયર્સ કૉલેજના અગાઉના પ્રિન્સિપાલ ફાધરો એકંદરે સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં બહુ ભળતા નહિ. તેઓ કૉલેજમાં પિરિયડ લીધા પછી પોતાના અલગ આવાસમાં જ ઘણું ખરું ચાલ્યા જતા. ફાધર બાલાશેર બધા વિદ્યાર્થીઓ સાથે અને સ્ટાફના સભ્યો સાથે ભળી જતા. પોતે મોટા છે અથવા પોતાનો સમય બહુ કીમતી છે એવું ક્યારેય લાગવા ન દે. મળે તો રસ્તામાં ઊભા રહીને આપણી સાથે નિરાંતે વાત કરે. સામાન્ય રીતે કૉલેજના બીજા ફાધરો કરતાં ફાધર બાલાગેર લોકસંપર્ક વધુ રાખતા હતા. બહારના સામાજિક કાર્યક્રમોમાં જતા. અધ્યાપકો કે વિદ્યાર્થીઓના લગ્નપ્રસંગે પણ હાજરી આપતા ઝેવિયર્સ કૉલેજમાં ૧૯૫૧માં હું જોડાયો અને ૧૯૫૩માં મારાં લગ્ન હતાં. મેં ફાધરને નિમંત્રણ આપ્યું. ફાધર અમારા લગ્નપ્રસંગે પધાર્યા હતા અને દોઢેક કલાક બેસી આવેલા બધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy