SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ વંદનીય હૃદયસ્પર્શ બાપુજી અત્યંત સરળ પ્રકૃતિના અને નાનામોટા, ગરીબતવંગર સૌ કોઈને આવકાર આપવાના સ્વભાવવાળા હતા. એમનું વ્યક્તિત્વ વાગે કે ખૂંચે એવું નહોતું. કોઈને પણ બાપુજીને મળવું હોય તો કોઠા વટાવવા પડતા નહિ, કારણ કે કોઠા હતા જ નહિ. સીધા બાપુજી પાસે જઈને ઊભા રહી શકાતું. નાનામાં નાની વ્યક્તિ આવી હોય અને બાપુજી સૂતા હોય તો પણ બેઠા થઈને જ વાત કરતા. માંદગીમાં પણ તેઓ બેઠા થવાનો આગ્રહ રાખે તો આપણે ના કહેવી પડતી. એમની સાથેની વાતચીતમાં ક્યારેય એમના વ્યક્તિત્વનો બોજો લાગે નહિ. એમની વાણીમાં ‘હું’ શબ્દ આવે જ નહિ. સામી વ્યક્તિને પોતાના કાર્યથી આંજી નાખવાનો ભાવ ક્યારેય જણાય નહિ. લઘુતાનો ઉચ્ચ ગુણ એમનામાં હમેશાં જોવા મળતો. ૨૫૪ નિરામયતા, ચિત્તની સ્વસ્થતા તથા યોગાદિ સાધના માટે કાયાની નિયમિતતા પર તેઓ બહુ ભાર મૂકતા. પોતાના આહાર, નિહાર, વિહાર, સ્વાધ્યાયના રોજિંદા કાર્યક્રમ માટે યથાશક્ય સમયની નિયમિતતા તેઓ જાળવતા કે જેથી કાયાની નિયમિતતા જળવાય. તેઓ કહેતા કે ઘરે અને આશ્રમમાં જેઓ મારો નિત્યક્રમ જાણતા હોય તેઓ મુંબઈમાં, હોય નૈરોબી, લંડન કે અમેરિકામાં હોય, તેઓ ઘડિયાળ જોઈને કહી શકે કે, ‘બાપુજી અત્યારે દેરાસરમાં પૂજા કરતા હશે' અથવા સ્વાધ્યાયમાં બેઠા હશે અથવાજમવા બેઠા હશે કે આશ્રમમાંથી ઘરે જવા માટે ગાડીમાં બેસતા હશે. આશ્રમમાં પહેલી વાર અમે ગયાં ત્યારથી તે છેલ્લી વાર ગયાં ત્યાં સુધી બાપુજીએ જાણે અમને વિશેષાધિકાર આપ્યો હોય તેમ જમવા માટે હમેશાં પોતાની બાજુમાં જ બેસાડતા. બહારથી કોઈ મહાનુભાવ મળવા આવ્યા હોય અને અમે આશ્રમમાં હોઈએ તો અમને અચૂક સાથે રાખે. ‘પ્રબુદ્ધ જીવન’નો મારો તંત્રીલેખ અવશ્ય વાંચી જાય અને મળીએ ત્યારે એની વાત કાઢે. સાંજે કોઈ વખત કુટિર પાસે ધર્મસભા યોજાઈ હોય તો ઉદ્બોધન કરવા માટે મને આગ્રહ કરે જ. આશ્રમમાં અમે જઈએ ત્યારે પહેલા અને છેલ્લા દિવસે પોતે અમારી રૂમ પર મળવા આવી જાય. વચ્ચે પણ કંઈક કામ હોય તો બોલાવે નહિ પણ જતાં-આવતાં રૂમ પર પોતે આવી જાય. આથી કેટલીક વા૨ અમને ક્ષોભ થતો, પરંતુ બીજી બાજુ એમની સરળતા અને નિરભિમાનિતા માટે બહુ આદર થતો. અમે આશ્રમમાં જઈએ ત્યારે અમારી બધી સગવડ બરાબર થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy