SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ વંદનીય હૃદયસ્પર્શ તેઓ શિરસ્તેદાર બન્યા અને એમ કરતાં આગળ વધતાં સાયલા રાજ્યના ન્યાયાધીશની પદવી સુધી પહોંચ્યા. આઝાદી પછી ગુજરાત સરકારમાં તેમની નોકરી ચાલુ રહી. તેઓ બાટાદ, મહુવા અને ભાવનગરમાં મામલતદાર તરીકે અને ભાવનગ૨માં એસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પોતાનું કાર્ય કરતા રહ્યા હતા. ૧૯૬૧માં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. સરકારી અમલદારોને આમ જનતાના વિવિધ પ્રકારના કડવામીઠા અનુભવો થતા. બાપુજીને પણ ન્યાયાધીશ હતા ત્યારે અને એસિસ્ટન્ટ કલેક્ટર હતા ત્યારે લાંચ આપવા માટે પ્રયત્નો થયેલા. પરંતુ તેઓ એને વશ ન થતાં એ આપના૨ને ધમકી આપતા કે ફરી વાર એવો પ્રયાસ ક૨શે તો પોતે એને જેલમાં બેસાડશે. ન્યાયાધીશ તરીકે એક ગુનેગારને ફાંસીની સજા આપવાની, બીજા બે ન્યાયાધીશો સાથે પોતાને સંમતિ આપવી પડેલી એનું એમને પારાવાર દુઃખ થયેલું. ન્યાયપ્રિય નીતિવાન અમલદાર તરીકે બાપુજીની સુવાસ જ્યાં જ્યાં એમણે કામ કર્યું હતું ત્યાં ત્યાં પ્રસરી હતી. સાયલામાં પચીસેક વર્ષ કામ કરેલું એટલે સાયલાના રહેવાસીઓમાં તે સૌથી વધુ આદરપાત્ર હતા. વયને કારણે તથા આશ્રમની સ્થાપનાના પ્રેરક તરીકે એમનું માન ઉત્તરોત્તર વધતું જતું હતું. બાપુજી પણ પ્રત્યેક વ્યાવહારિક પ્રસંગે રાજદરબારમાં, વૈષ્ણવ મંદિરમાં તથા અન્ય સ્થળે જઈ આવતા, પરિચિતોમાં માંદગી પ્રસંગે ખબર કાઢવા તેઓ અચૂક ગયા હોય અને યથાશક્તિ આર્થિક મદદ પણ કરી હોય. આથી સાયલાવાસીઓનો પણ બાપુજી પ્રત્યે પૂજ્યભાવ હમેશાં નીતરતો રહેતો. બાપુજીનું ગૃહસ્થજીવન નિર્વ્યસની, સદાચારી અને ધર્મપરાયણ હતું. સાયલા રાજ્યની નોકરીમાં ફાજલ સમય મળતો એટલે સવાર-સાંજના નવરાશના સમયમાં તેઓ આધ્યાત્મિક ગ્રંથો વાંચતા. કૃપાળુદેવનું વચનામૃત તો તેઓ અનેક વાર સાદ્યંત વાંચી ગયા હતા. તદુપરાંત અન્ય ગ્રંથો પણ તેઓ વાંચતા. યુવાનોની સત્સંગ મંડળીમાં તેઓ જતા અને સત્સંગ કરતા. આગમોદ્ધારક પૂ. શ્રી સાગરાનંદસૂરિ(સાગરજી મહારાજ)ના એક મુખ્ય શિષ્ય શ્રી માણેકસાગરસૂરિ જેવા આચાર્ય ભગવંતે સાયલા જેવા નાના ગામની ચાતુર્માસ માટે પસંદગી કરી હતી તેનું મુખ્ય કારણ તે સાયલાના અધ્યાત્મરુચિ ધરાવતા યુવાનો હતા અને એ યુવાનોના અગ્રેસર તે બાપુજી હતા. શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy