SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ બચુભાઈ રાવત ‘કુમાર'ના તંત્રીશ્રી બચુભાઈ રાવત આપણા એક સંનિષ્ઠ સંસ્કારપુરષ હતા. “કુમાર” માસિક દ્વારા અરધી સદી કરતાં વધુ સમય સુધી ગુજરાતના સંસ્કારઘડતરમાં એમણે વિશિષ્ટ યોગદાન આપ્યું. ૮૨ વર્ષની વયે અમદાવાદમાં તેઓ અવસાન પામ્યા હતા. બચુભાઈ આજીવન કુમારને વરેલા હતા. “કુમાર”ના પર્યાયરૂપ બની તેઓ ગયા હતા. એમણે પોતાની સમગ્ર શક્તિ “કુમાર'ને આપી. “કુમાર'ને ભોગે એમણે બીજી કોઈ પ્રસિદ્ધિ કે અર્થપ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ આદરી નહોતી. મોટાં પ્રલોભનો જતાં કર્યા હતાં. પરિણામે “કુમાર” માત્ર માસિક ન રહ્યું, આપણી એક સંસ્કારસંસ્થા જેવું બની ગયું. આપણાં સામયિકોના ઇતિહાસમાં કુમાર”નું સ્થાન અદ્વિતીય છે. એને અદ્વિતીય બનાવવામાં બચુભાઈનું સ્વાર્પણ રહેલું છે. - બચુભાઈના અત્યંત નિકટના સંપર્કમાં આવવાની મને તક મળી એને હું મારું પરમ સદ્ભાગ્ય સમજું છું. એમનો પાર્થિવ દેહ વિલીન થયો, પણ નજર સામે હજુ એમનું ચિત્ર આ પ્રમાણે તરવરે છે : સવારે સમય થતાં કુમાર કાર્યાલયમાં હળવે પગલે તેઓ દાખલ થાય છે. પોતાની બેઠક પાસે પહોંચી લાઇટ અને પંખો ચાલુ કરે છે. ખાદીનો લાંબો કોટ અને ટોપી ઉતારી ખીંટીએ ભેરવે છે. રિવોલ્ડિગ ખુરશીમાં બેસી ડેસ્ક ખોલે છે. આવેલી ટપાલ જુએ છે. પેન્સિલ અને ચપ્પ લે છે. પોતાના પહેરણનો છેડો પહોળો કરી ખોળામાં છોતરાં પડે એ રીતે પેન્સિલ છોલે છે. સરસ ધાર કાઢે છે. ચીવટપૂર્વક બધાં છોતરાં એકઠાં કરી લઈ, કચરાની ટોપલીમાં નાખે છે. “કુમાર” માટે આવેલી સામગ્રી વાંચવાનું, પૂર તપાસવાનું, ટપાલના જવાબ લખવાનું કામ ચાલુ થાય છે. બચુભાઈના કાર્યાલયમાં દિવસ ચાલુ થાય છે. કાર્યાલયમાં આવતાં પહેલાં કેટલુંક કાર્ય ઘરેથી સવારે તૈયાર કરીને તેઓ લાવ્યા હોય છે. પથારીવશ થયા ત્યાં સુધી બચુભાઈએ કાર્યાલયમાં જવાનું ચાલુ રાખ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy