SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ વંદનીય હૃદયસ્પર્શ કરું. કોઈ ચોકીદાર મને અટકાવે એ મારે માટે કોઈ નવો અનુભવ નથી.” ત્યાર પછી દિલ્હીમાં વલ્લભ સ્મારકમાં મારે એમને મળવાનું થયું હતું. એક પરિસંવાદમાં મારે ભાગ લેવાનો હતો. જોહરીમલજી પણ ત્યાં પધાર્યા હતા. ત્યાં ઉતારાની સગવડ કરતાં પ્રતિનિધિઓ વધારે થઈ ગયા હતા. પોતાને સારો રૂમ નથી મળ્યો એનો અને મચ્છરદાની નથી મળી એનો કચવાટ કેટલાક માંહોમાંહે વ્યક્ત કરતા હતાં. મેં જોહરીમલજીને પૂછ્યું, “તમારો ઉતારો કયા રૂમમાં છે?' મારો ઉતારો બધા જ રૂમમાં છે. હું બૅગ કે બિસ્તરો રાખતો જ નથી. એટલે મારે ઉતારાનો પ્રશ્ન જ નથી. જે રૂમમાં હું કોઈની સાથે વાત કરવા બેસું એટલી વાર એ રૂમ મારો.” વલ્લભ સ્મારકમાં મચ્છરનો ત્રાસ ઘણો હતો. સાંજ પડી. જોહરીમલજીને મેં પૂછ્યું કે, “આપ ક્યાં સૂઈ જવાના?” “અહીં ખુલ્લામાં, આ પાળી ઉપર.” ઓઢવા-પાથરવા માટે હું આપું કંઈક?' હું હમેશાં જમીન પર સૂઈ જાઉં છું. કશું ઓઢતો નથી.” “આખી રાત મચ્છર કરડશે ! તમારે શરીર ઉપર માત્ર પોતડી છે. તે સિવાય આખું શરીર ઉઘાડું છે.” ભગવાને તો ડાંસ-મચ્છરોનો પરીષહ સહન કરવાનું કહ્યું છે. મને મચ્છર કરડે તો હું સમતાભાવે, પ્રસન્નતાપૂર્વક સહન કરી લઉં છું. મારે તો ફક્ત બે-ત્રણ કલાકની ઊંઘ જોઈએ. બાકીનો સમય ધ્યાનમાં બેઠો હોઉં છું. હવે તો હું મચ્છરથી એટલો ટેવાઈ ગયો છું કે મચ્છર કરડે છે કે નહિ તેની પણ ખબર પડતી નથી.” કાયમ જમીન ઉપર સૂઈ જવું, કશું ઓઢવું-પાથરવું નહિ. એ રીતે જોહરીમલજીએ દિગંબર મુનિ જેવું જીવન જીવવાનું ચાલુ કરી દીધું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી જૈન સાહિત્ય સમારોહમાં તથા જૈન વિષયના પરિસંવાદમાં ભાગ લેવા તેઓ મારા આગ્રહથી પધારતા. એથી મારી સાથે તેમને ઘનિષ્ઠ આત્મીયતા થઈ ગઈ હતી. તેઓ સમારોહ કે પરિસંવાદને સ્થળે જાતે પહોંચી જાય અને સભામાં એક છેડે ચૂપચાપ બેસી જાય. જેઓ એમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy