SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કન્ડેયાલાલજી મહારાજ ૫૯૭ જરા પણ કરતા નહિ. વાદવિવાદમાં કે બીજાને ખોટા ઠરાવવામાં એમને રસ નહોતો. તેઓ ઉદાર મતના હતા અને કહેતા કે સત્ય હંમેશાં સંપ્રદાયાતીત હોય છે. તેઓ આગમસાહિત્યના પ્રખર અભ્યાસી હતા એથી જ બત્રીસ આગમને ને વળગી રહેતાં પિસ્તાલીસ આગમનો એમણે અભ્યાસ કર્યો હતો. પૂ. દેવેન્દ્રમુનિ શાસ્ત્રીએ “આગમ એક અનુશીલન'માં માત્ર બત્રીસ આગમની વિચારણા ન કરતાં પિસ્તાલીસ આગમની વિચારણા કરી છે, તેવી જ રીતે પૂ. કન્ડેયાલાલજી મહારાજે જેનાગમ નિર્દેશિકામાં પિસ્તાલીસ આગમોના વિષયો લીધા છે. ચા૨ અનુયોગ ગ્રંથોમાં પણ એમની ભાવના ૪૫ આગમો લેવાની હતી અને એ રીતે જ તૈયારી થઈ હતી પરંતુ સાંપ્રદાયિક ભાવનાવાળા કેટલાક શ્રાવકોના આગ્રહને લીધે ૩૨ આગમોના વિષયો એમને રાખવા પડ્યા એમ શ્રી વિનયમુનિએ દ્રવ્યાનુયોગની પ્રસ્તાવનામાં નિર્દેશ કર્યો છે. પૂ. કહેયાલાલજી મહારાજ પોતાના સંપ્રદાયની સામાચારીનું બરાબર નિષ્ઠાથી પાલન કરતા, પરંતુ એમની પાસે એતિહાસિક ઉદાર દૃષ્ટિ હતી. એટલે જ બીજાની સામાચારીની તેઓ ક્યારેય ટીકા કરતા નહિ, કે તે ખોટી છે એવું કહેતા નહિ. દેવલાલીમાં એક વખત હું એમની પાસે બેઠો હતો ત્યારે એક ભાઈ વંદન કરવા આવ્યા. થોડી વારે એમણે સીધો બેધડક પ્રશ્ન કર્યો, મહારાજશ્રી, આપ મૂર્તિપૂજામાં માનો છો કે નહિ ?' ત્યારે મહારાજશ્રીએ સૌમ્યતાથી ઉત્તર આપ્યો કે “જુઓ ભાઈ, મેં સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી છે. મારો વેશ સ્થાનકવાસી સાધુનો છે. મારે મારા વેશની મર્યાદા છે. એટલે આ વિષયમાં હું તમારી સાથે કંઈ ચર્ચા કરી શકીશ નહિ.” એમનો એ ઉત્તર બહુ વ્યવસ્થિત અને યોગ્ય હતો. પૂ. કન્ડેયાલાલજી મહારાજ સંસ્કૃત, પ્રાકૃત ઉપરાંત અંગ્રેજી શબ્દોની વ્યુત્પત્તિ પોતાની મૌલિક દૃષ્ટિથી કરી બતાવતા. એમની શબ્દોની જાણકારી તથા એમની બહુશ્રુતતા એમાં જોવા મળતી. તેમણે અનેક શબ્દોના અર્થ પોતાની રીતે ઘટાવ્યા છે. એમાંથી ઉદાહરણ તરીકે થોડાક જોઈએ: રોગ એટલે રોગ અર્થાત્ રોતાં રોતાં જે ગતિ કરાવે અથવા રોતાં રોતાં જેની ગતિ થાય છે. ગુરુ એટલે ગુરુ અર્થાત્ ગુ એટલે અંધકાર (અજ્ઞાનરૂપી) રુ એટલે દૂર કરનાર. અથવા ગુ એટલે ગુણો અને રુ એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy