SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૪ પ્રભાવક સ્થવિરો ગુરુમહારાજ શ્રી ફતેહચંદજી મહારાજના કાળધર્મ પછી શ્રી કન્ડેયાલાલજી મહારાજે દિલ્હી તરફ વિહાર કર્યો. ત્યાં “જેનાગમ નિર્દેશિકા” ગ્રંથ તૈયાર કર્યો. તદુપરાંત એમણે નિશીથભાષ્ય, સ્થાનાંગ, સમવાયાંગ વગેરે આગમગ્રંથોનું કાર્ય કર્યું તથા અનુયોગના કાર્યની વિશેષ તૈયારી કરી. પંડિત દલસુખભાઈ માલવણિયાનો એમને સારો સહકાર સાંપડ્યો હતો. ત્યાર પછી તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશમાં વિહાર કર્યો. આમ રાજસ્થાનની બહાર વિહારમાં ઘણાં વર્ષો નીકળી ગયાં. મહારાજશ્રીના મુખ્ય શિષ્ય શ્રી વિનયમુનિજી (વાગીશ)એ વિ. સં. ૨૦૨૫માં એમની પાસે દીક્ષા લીધી ત્યારથી તેઓ જીવનના અંત સુધી એમની સાથે રહ્યા. એમણે મહારાજશ્રીની અનુપમ વૈયાવચ્ચ કરી છે અને લેખનકાર્યમાં પણ સહાય કરી છે. - દક્ષિણ ભારતના વિહાર દરમિયાન મહારાજશ્રીને આંતરડાનો રોગ થયો. પીડા ઘણી વધી ગઈ. ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. બે ઓપરેશન હૈદ્રાબાદમાં થયાં, પણ મર્યું નહિ. તબિયત એકદમ ગંભીર બની ગઈ. એટલે એમને વિમાનમાં મુંબઈ લાવવામાં આવ્યા અને જેન ક્લિનિકમાં ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશનથી એમને સારું થઈ ગયું, પણ શૌચાદિ માટે નળી મૂકવી પડી અને તબિયત સંભાળવાની જરૂર પડી. એમણે વર્ષો સુધી ચીવટપૂર્વક પોતાની તબિયત સાચવી. એટલે તો તેઓ ૮૮ વર્ષની ઉંમર સુધી પહોંચી શક્યા. મહારાજશ્રીમાં લઘુતાનો અને વિનમ્રતાનો ગુણ ઘણો મોટો હતો. મુંબઈમાં જૈન ક્લિનિકમાં ઓપરેશન કરાવવા માટે તેઓ કાંદાવાડીના ઉપાશ્રયે રહ્યા હતા. તે વખતે ત્યાં ધન્યમુનિ, કેવળદાસમુનિ વગેરે બિરાજમાન હતા. તેઓ કયાલાલજી મહારાજ કરતાં ઉમરમાં, દીક્ષાપર્યાયમાં, જ્ઞાનસાધનામાં નાના હતા. તો પણ ઓપરેશન વખતે મહારાજશ્રીએ કેવળદાસજી મહારાજને કહ્યું કે “મને સાગારી સંથારાનાં પચ્ચખાણ આપો.” એથી કેવળદાસજી મહારાજને આશ્ચર્ય થયું. એમણે કહ્યું “તમે જ્ઞાની છો. મોટા છો. જાતે જ પચ્ચખાણ લઈ શકો એમ છો.” તો પણ પૂ. કયાલાલજી મહારાજે આગ્રહ રાખ્યો અને શ્રી કેવળદાસજી મહારાજ પાસે પચ્ચખ્ખાણ લીધા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy