SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ૫૮૫ સ્થળ દૂર નહિ લાગે. એ પ્રમાણે નિર્ણય લેવાયો અને એ જ સ્થળે ભવ્ય સ્મારક માટેની યોજના થઈ. મૃગાવતીજીની શુભ નિશ્રામાં હજારોની જનમેદની વચ્ચે મહોત્સવપૂર્વક લાલા ખેરાતીલાલ જૈનના હાથે ત્યાં શિલાન્યાસનો કાર્યક્રમ થયો. ત્યારપછી દાનનો પ્રવાહ વધુ વેગથી વહેવા લાગ્યો. તબિયત અસ્વસ્થ છતાં પૂજ્ય મૃગાવતીજીની ઉપસ્થિતિમાં વિશેષતઃ સંક્રાન્તિ દિનની ઉજવણી વખતે થોડાક જ મહિનાઓમાં લાખો રૂપિયાનાં વચનો મળી ચૂક્યાં હતાં. પૂ. મૃગાવતીજીની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી. - પૂજ્ય મૃગાવતીજીને હંમેશાં ખાદી પહેરવાનો નિયમ હતો. આ નિયમને તેઓ ચુસ્તપણે પાળતાં હતાં. એમની બધી શિષ્યાઓ પણ ખાદી જ ધારણ કરે. વળી એમનો એવો પણ નિયમ હતો કે જે વ્યક્તિ જાતે ખાદી પહેરતી હોય તેની પાસેથી જ ખાદીનું કાપડ વહોરવું. ત્યાગ અને સાદાઈની એમની ભાવના કેટલી ઊંચી હતી તે આ નિયમ પરથી જોઈ શકાય છે. દિલ્હીના શ્રી રામલાલજી સાથે મૃગાવતીજી વિશે વાત નીકળતાં તેમણે કહ્યું હતું કે મૃગાવતીજી પંજાબમાં જ્યારે વિચરતાં ત્યારે એક ગામથી બીજે ગામ જવામાં એમને રસ્તો બતાવવા માટે તથા સાધ્વીજીઓના રક્ષણ માટે કોઈ સાથીદાર-ચોકીદાર મોકલવાનું સૂચન કરીએ તો તેઓ તેનો ઇન્કાર કરતાં. તેઓ કહેતાં કે અમે અમારી મેળે અમારો માર્ગ શોધી લઈશું. અમને કોઈનો ડર નથી. અમે નિર્ભય છીએ. વળી વિહારમાં અમારી સાથે કોઈ પુરુષ ચાલતો હોય એ અમને ગમતું નથી. અમારા ચારિત્રપાલનમાં અમે એટલા ચુસ્ત રહેવા ઇચ્છીએ છીએ.” પૂજ્ય મૃગાવતીશ્રીજી પોતાના બ્રહ્મચર્યવ્રતમાં, સાધ્વી તરીકે પોતાના ચારિત્રપાલનમાં અત્યંત દઢ હતાં. સાંજના પ્રતિક્રમણ કર્યા પછી તેઓ કોઈ પુરુષનું મુખ જોતાં નહિ અને તે પ્રમાણે પોતાની શિષ્યા સાધ્વીઓને પણ સાચવતાં. કેટલાંક વર્ષ પહેલાં મૃગાવતીજીને છાતીમાં કેન્સર થયું. ત્યારે ઓપરેશન વખતે એમણે જે પૈર્ય અને દઢ ચારિત્રપાલન કર્યું હતું તેની વાતો પણ તેમના પ્રત્યે અત્યંત આદરભાવ પેદા કરે એવી છે. દિલ્હીમાં તેઓ ઑપરેશન માટે એબ્યુલન્સમાં નહિ, પણ નવ કિલોમીટર જેટલું અંતર પગે ચાલીને હોસ્પિટલ ગયાં હતાં. ઘણી અશક્તિ હતી છતાં લિફ્ટનો ઉપયોગ તેમણે નહોતો કર્યો, પણ દાદર ચડીને ગયાં હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy