SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૮ પ્રભાવક સ્થવિરો રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સૌને હશે એવો જ અનુભવ મને થયો હતો. પૂજ્ય મહારાજસાહેબની આ એક જાણીતી ખાસિયત હતી, કે તેઓ કોઈની સાથે સામાન્ય રીતે પત્રવ્યવહાર રાખતા નહિ. ટપાલટિકિડનો બને તેટલો ઓછામાં ઓછો પરિગ્રહ અને સંઘને ઓછામાં ઓછું ખર્ચ કરાવવાની ભાવનામાંથી આ વૃત્તિ જન્મેલી મનાય છે. પરંતુ અનિવાર્ય હોય ત્યારે પૂજ્ય મહારાજસાહેબ અવશ્ય પત્રનો જવાબ આપે છે, એવો પણ મને અનુભવ થયો હતો. મેં જ્યારે જ્યારે ધાર્મિક કે સાહિત્યિક વિષયની કોઈ અગત્યની બાબત વિશે એમનું માર્ગદર્શન મગાવ્યું હોય ત્યારે ત્યારે અચૂક તેમના તરફથી સ્વચ્છ અને મરોડદાર અક્ષરે મુદ્દાસર અને ચીવટપૂર્વક લખેલો પત્ર મળ્યો હોય. મહારાજશ્રીએ અમદાવાદમાં ઘણાં ચાતુર્માસ કર્યો. પોતાની તબિયતને કારણે તથા આગમસંશોધન માટે જરૂરી ગ્રંથો, હસ્તપ્રતો વગેરેની અનુકૂળતાને કારણે અમદાવાદમાં એમને વિશેષ ફાવતું. એમનાં બા-મહારાજ, સાધ્વી શ્રી રત્નશ્રી પણ અમદાવાદમાં હતાં એટલે એમના ખબરઅંતર પૂછવાની દૃષ્ટિએ પણ અમદાવાદ અનુકૂળ હતું. મહારાજશ્રીને નાની ઉમરથી સંગ્રહણીનો રોગ થઈ ગયો હતો અને ઘણા ઉપચારો કરવા છતાં સંપૂર્ણપણે આરામ થતો નહિ. મહારાજશ્રી પાસે શરૂઆતમાં એક દિવસ હું બેઠો હતો ત્યારે મેં જોયું કે તેઓ લઘુશંકા માટે જાય, પણ ઘણી વાર લાગે. એક દિવસ સહજ જિજ્ઞાસાથી મેં પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે સંગ્રહણીના રોગને કારણે હવે શરીર એટલું નબળું પડી ગયું છે કે શોચની બંને ક્રિયાઓ–લઘુશંકા અને વડીશંકા-એક સાથે જ થાય છે. પોતાની આવી શારીરિક અવસ્થા હોવા છતાં જીવનભર તેમણે પૂર્ણ સ્વસ્થતાપૂર્વક ઘણું ભગીરથ સંશોધનકાર્ય કર્યું. મહારાજશ્રીના મુખ્ય શિષ્ય અને એમના અંગત મંત્રી જેવા પૂ. શ્રી રમણીકવિજયજી મહારાજ હૃદયરોગની તકલીફને કારણે વહેલા કાળધર્મ પામ્યા. પૂજ્ય બા મહારાજ પણ સુદીર્ઘ દિક્ષા પર્યાય પછી વિ. સં. ૨૦૨૨માં અમદાવાદમાં કાળધર્મ પામ્યાં હતાં. મહારાજશ્રીના હાથ નીચે પ્રાકૃત ભાષા, લિપિ, જૈન ધર્મ વગેરે વિષયમાં પાટણ અને અમદાવાદમાં કેટલીક વ્યક્તિઓને સારી તાલીમ મળી હતી. ડૉ. ભોગીલાલ સાંડેસરા, ડૉ. ઉમાકાન્ત શાહ, પંડિત અમૃતલાલ ભોજક, પંડિત For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy