SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦]ી શ્રી પુણ્યવિજયજી મહારાજ પરમ પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ વિ. સં. ૨૦૨૭ના જેઠ વદ ૬ ને ૧૪મી જુન, ૧૯૭૧ના રોજ મુંબઈમાં કાળધર્મ પામ્યા. “આગમપ્રભાકર” અને “શ્રુતશીલ'-વારિધિ'નું બિરુદ ધરાવનાર શ્રી પુણ્યવિજયજી મહારાજે જીવનભર આગમ-સંશોધન સંપાદનનું ભગીરથ કાર્ય કર્યું હતું. તેઓ શ્રુતસાહિત્યના મર્મજ્ઞ હતા. જૈન સાહિત્ય અને તેની હસ્તપ્રતો વિશેની તેમની જાણકારી એટલી બધી કે જૈન સાહિત્યના ક્ષેત્રે સંશોધનનું કાર્ય કરનારને તેમની પાસેથી જોઈતી માહિતી સરળતાથી તરત ઉપલબ્ધ થતી. એમના કાળધર્મ પછી મુંબઈમાં બીજે દિવસે સવારે તેમની પાલખી નીકળી હતી. એમાં હજારો માણસો જોડાયા હતા. જુદા જુદા વિસ્તારમાં ફરીને પાલખી વાલકેશ્વર બાણગંગાના સ્મશાનગૃહમાં આવી પહોંચી હતી. ત્યાં એમના પાર્થિવ દેહને જ્યારે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે કેટલીયે વ્યક્તિઓની આંખમાંથી આંસુઓની ધારા વહી હતી. જે કેટલીક વડીલ અને પૂજનીય વ્યક્તિઓ મારા જીવનઘડતરમાં પ્રેરણારૂપ બની ગઈ છે તેમાં પરમ પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ અગ્રસ્થાન ધરાવે છે. એમની પ્રેરણાએ જ મને પ્રાચીન જૈન સાહિત્ય પ્રત્યે અને એથી પણ વિશેષ જૈનધર્મ અને તત્ત્વજ્ઞાન પ્રત્યે અનુરાગી બનાવ્યો છે. એમના આશીર્વાદથી જ જીવનમાં કેટલાંક કાર્યો હું સફળતાપૂર્વક પાર પાડી શક્યો છું. એ માટે એમના પ્રત્યે હું હંમેશાં ઘણો જ ઋણી રહ્યો છું. - પૂજ્ય મહારાજસાહેબ સાથેનો મારો પરિચય લગભગ દોઢ દાયકા જેટલો હતો. એમનાં પહેલવહેલાં દર્શન મેં કર્યા અમદાવાદમાં ઓરિએન્ટલ કોન્ફરન્સ ભરાઈ ત્યારે જૈન મુનિઓ પણ આવી કોન્ફરન્સમાં રસ લે છે એ જાણીને ત્યારે મને આશ્ચર્ય થયેલું અને આપણા જ્ઞાનભંડારો વિશે પૂ. મહારાજસાહેબે જે પ્રવચન કર્યું તે સાંભળીને તો મારી મુગ્ધતાનો પાર રહ્યો ન હતો! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy