SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ પ્રભાવક સ્થવિરો ઉપાશ્રયમાં જઈને એણે મોટા મહારાજને બધી વાત જણાવી. બીજે દિવસે આમોદમાં દીક્ષા આપવાનું વિચારાયું હતું. પરંતુ ત્યાં પણ ઉપાશ્રયમાં ત્રિભુવનનાં દૂરનાં એક કાકી ત્રિભુવનને જોઈ ગયાં. એટલે આમોદમાં દીક્ષા આપવાનું માંડી વાળવામાં આવ્યું. પછી જૈનોની વસ્તી વગરના તીર્થધામ ગંધારમાં દીક્ષા આપવાનું નક્કી થયું. મુનિ મંગળવિજયજીએ એ કાર્ય માટે હિંમત દર્શાવી. તેઓ તથા મુનિ નયવિજયજી તથા મુનિ પ્રકાશવિજયજી કિશોર ત્રિભુવનની સાથે ૧૯ માઈલનો વિહાર કરી ગંધાર પહોંચ્યા. ગંધારમાં દીક્ષાના મુહૂર્તનો સમય થઈ ગયો હતો અને મુંડન માટે ગામમાંથી હજામને આવતાં વાર લાગી. એટલે મુનિ મંગળવિજયજીએ પોતે કેશલોચ શરૂ કરી દીધો હતો. હજામ આવી પહોંચતાં મુંડન થયું. આ રીતે પાંચ-સાત જણની વચ્ચે ત્રિભુવનનો દીક્ષાવિધિ ગુપ્ત રીતે થઈ ગયો. એમનું નામ મુનિ રામવિજય રાખવામાં આવ્યું. - દીક્ષા પછી મુનિ મંગળવિજયજી નવદીક્ષિત સાધુ સાથે વિહાર કરીને ભરૂચ પહોંચી ગયા. આ બાજુ એમની દીક્ષાના સમાચાર પાદરામાં પહોંચતાં ત્યાં બહુ ખળભળાટ મચી ગયો. સગાંસંબંધીઓમાં આ અંગે તુરત કાયદેસર પગલાં લેવાની વાતો થઈ. બીજી બાજુ દીક્ષિત ત્રિભુવનને બળજબરીથી ઉઠાવીને ઘરે લઈ આવવાની વાતો પણ વિચારાઈ. અલબત્ત દીક્ષાના સમાચાર સાંભળ્યા પછી દાદીમા રતનબાનું હૈયું કંઈક ઢીલું પડ્યું. ત્રિભુવનને પાછો લઈ આવવા માટે જનારાં સગાંઓને આ બાબતમાં કંઈક ઉગ્ર બોલાચાલી કે ઝપાઝપી ન થાય એ રીતે વર્તવા તેમણે વિનંતી કરી સગાંઓ ભરૂચ પહોંચ્યા. પણ નવદીક્ષિત રામવિજયજી મહારાજ તો પોતાના નિર્ણયમાં મક્કમ હતા. એટલે સગાંઓનું બહુ ચાલ્યું નહિ. તેઓ નિરાશ થઈને પાદરા પાછા ફર્યા અને દાદીમા રતનબાને બધી વાત કરી. બનેલી પરિસ્થિતિ સાથે હવે મનથી સમાધાન કરવા સિવાય તેમને માટે બીજો કોઈ રસ્તો રહ્યો ન હતો. દીક્ષા પછી રામવિજયજી મહારાજે સં. ૧૯૬૯નું પ્રથમ ચાતુર્માસ સિનોર ગામમાં કર્યું. એ વખતે વ્યાખ્યાનની જવાબદારી શ્રી દાનવિજયજી મહારાજની હતી. પરંતુ એક દિવસ દાનવિજયજી મહારાજની તબિયત સારી ન હતી, ત્યારે એમના ગુરુ-ભગવંત વડીલ પંજાબી મહારાજ ઉપાધ્યાય શ્રી વીરવિજયજીએ નૂતન સાધુ પૂ. રામવિજયજીને વ્યાખ્યાન આપવા માટે ફરમાવ્યું, કારણ કે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy