SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયનેમિસૂરિ મહારાજ ૪૬૩ રહેલો હશે! મહારાજશ્રીનો જન્મ મહુવામાં અને તેઓ કાળધર્મ પણ મહુવામાં પામ્યા. એમના દેહનું અવતરણ કારતક સુદ એકમને શનિવારે, દિવસે વીસ ઘડી અને પંદર પળે થયું હતું. તેમના દેહનું વિસર્જન પણ કારતક સુદ એકમને શનિવારે વીસ ઘડી અને પંદર પળના સમયે થયું. આવો યોગાનુયોગ તો કોઈ વિરલ વ્યક્તિના જીવનમાં જ જોવા મળે. આમ, મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજીનું જીવન અનેક ઘટનાઓથી સભર છે. એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન, જાતે અકિંચન રહી, કડક સંયમપાલન કરી, અનેકને પ્રતિબોધ પમાડી શાસનોન્નતિનું કેવું અને કેટલું ભગીરથ કાર્ય કરી શકે છે તે મહારાજશ્રીના પ્રેરક પવિત્ર જીવન ઉપરથી જોઈ શકાય છે. એવા એ ભવ્યાત્માનું સ્મરણ પણ આપણે માટે ઉપકારક બને છે. એમને કોટિ કોટિ વંદના ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy