SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ પ્રભાવક સ્થવિરો તત્ત્વનિર્ણયપ્રાસાદ, સમ્યકત્વશલ્યોદ્વાર, શ્રી ધર્મવિષયક પ્રશ્નોત્તર, નવતત્ત્વ તથા ઉપદેશ બાવની, જૈન મતવૃક્ષ, ચિકાગો પ્રશ્નોત્તર, જૈન મતકા સ્વરૂપ, ઈસાઇમત સમીક્ષા, ચતુર્થસ્તુતિનિર્ણયઃ ભા. ૧લો અને ૨જો. આ ઉપરાંત તેમણે સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, વીશસ્થાનક પદ પૂજા, સત્તરભેદી પૂજા, નવપદ પૂજા તેમજ સંખ્યાબંધ સ્તવનો, પદો અને સક્ઝાયોની રચના કરી છે. આ બધા ગ્રંથોમાં એમણે જૈન ધર્મ અને તત્ત્વદર્શનનાં વિવિધ પાસાંઓની ઘણી વિગતે છણાવટ કરી છે. “જૈન તત્ત્વાદર્શ” નામનો એમનો માત્ર એક દળદાર ગ્રંથ વાંચીએ તો પણ જેન ધર્મનો સમગ્ર સાર એમાં આવી ગયેલો જણાશે. આત્મારામજી મહારાજે જૈન ધર્મની વિશેષતા શી છે તે દર્શાવી છે. અજ્ઞાનતિમિરભાસ્કર' નામના પોતાના ગ્રંથમાં એમણે વૈદિક યજ્ઞકર્મ, વૈદિક હિંસા, માંસાહાર, યજ્ઞનું સ્વરૂપ ઈત્યાદિની વિચારણા વેદો, ઉપનિષદો, પુરાણો વગેરેમાંથી આધાર આપીને કરી છે અને તેમાં રહેલી મિથ્યાત્વભરેલી અજ્ઞાન વિચારણાનું વિવેચન કરી, બૌદ્ધ, સાંખ્ય, જૈમિનેય વગેરે દર્શનનોની મુક્તિના સ્વરૂપની વિચારણાનું વિશ્લેષણ કરી જેને દર્શનના સિદ્ધાંતો કેવા અબાધિત અને દોષરહિત છે તે બતાવ્યું છે. “ચતુર્થસ્તુતિનિર્ણય' નામના ગ્રંથમાં એમણે ત્રણ થાય (સ્તુતિ) નહિ પણ ચાર થોય જ શાસ્ત્રોક્ત છે એ પૂર્વાચાર્યોકૃત વ્યાસી ગ્રંથોના આધારો ટાંકીને સિદ્ધ કરી બતાવ્યું છે. સમ્યકત્વશલ્યોદ્વાર' નામના ગ્રંથમાં જૈન ધર્મ મૂર્તિપૂજામાં શા માટે માને છે તે એમણે આગમગ્રંથો અને ઈતિહાસમાંથી પુરાવા આપી સિદ્ધ કરી બતાવ્યું છે. તેઓ કવિ હતા, એટલે એમણે વિવિધ પૂજાઓ અને સ્તવનોની રચના હિન્દી ભાષામાં કાવ્યમાં કરી છે. એમાં એમની શાસ્ત્રીય સંગીતની જાણકારી ઉપરાંત જૈન શાસ્ત્રોના સિદ્ધાંતોને લોકભાષામાં વણી લેવાની ખૂબી પણ જોવા મળી છે. આ પ્રકારનું પૂજાસાહિત્ય હિન્દી ભાષામાં સૌપ્રથમ તેમના તરફથી આપણને સાંપડે છે. આત્મારામજી મહારાજે પોતે રચેલા સાહિત્ય દ્વારા જૈનશાસનની બજાવેલી અનન્ય સેવાની સુવાસ અનેક વર્ષો સુધી મહેકતી રહેશે. શ્રી આત્મારામજી મહારાજ મંત્રવિદ્યાના પણ ઘણા સારા જાણકાર તથા ઉપાસક હતા. આ માહિતી એમના એક વિદ્વાન શિષ્ય શાંતિવિજય દ્વારા યતિ શ્રી બાલચંદ્રાચાર્યને મળી હતી. શ્રી શાંતિવિજય પાસે રોગોપહારિણી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy