SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ સાધુઓનો વિહાર સુરત સુધીનો જ હતો. શેઠ મોતીશાહના સ્વર્ગવાસ પછી શત્રુંજય પર્વત પરની શેઠ મોતીશાહે બંધાવેલી ટૂકમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠાનો મહોત્સવ વિ. સં. ૧૮૯૩ના મહા વદમાં એમના પુત્ર ખીમચંદભાઈ તરફથી યોજવામાં આવ્યો હતો. એ મહોત્સવમાં શ્રી વીરવિજયજી મહારાજ પણ પાલિતાણા પધાર્યા હતા. નજરે નિહાળેલા એ મહોત્સવનું વર્ણન કરતાં ઢાળિયાં શ્રી વીરવિજયજી મહારાજે લખ્યાં છે. મહારાજશ્રીની નિશ્રામાં વિ. સં. ૧૮૯૯માં અમદાવાદથી પંચતીર્થની યાત્રાનો સંઘ નીકળ્યો હતો. અમદાવાદના શેઠ હીમાભાઈ વખતચંદ, હઠીસિંગ કેસરીસિંગ અને મગનભાઈ કરમચંદે સાથે મળીને આ સંઘનું આયોજન કર્યું હતું અને તેમાં જોડાવા માટે શ્રી વીરવિજયજીને વિનંતિ કરી હતી. બહુ ધામધૂમપૂર્વક આ સંઘે પ્રયાણ કર્યું હતું. યાત્રિકો માટે વ્યવસ્થા કરવા ધન ખર્ચવામાં કંઈ કમી રાખી નહોતી. પરંતુ સંઘ લગભગ પાલનપુર પાસે ચિત્રાસણી ગામે પહોંચ્યો ત્યારે ત્યાં કૉલેરાનો ભયંકર ઉપદ્રવ થયો હતો. એથી ગભરાટને લીધે યાત્રિકોએ ભાગંભાગ કરી મૂકી. સંઘ છિન્નભિન્ન થઈ ગયો. લોકોએ પોતપોતાનાં પરિચિત જૂથોમાં ગોઠવાઈને અમદાવાદ તરફ ત્વરિત ગતિએ ભાગવાનું ચાલુ કરી દીધું. કેટલાક મૃત્યુ પામ્યા. કેટલાક અશક્ત બની ગયા. કેટલાક મહારાજશ્રી વીરવિજયજી સાથે રહ્યા અને એમની સાથે ચાલવા લાગ્યા. રસ્તામાં જ્યાં પડાવ નાખવામાં આવે ત્યાં મહારાજશ્રી પડાવની આસપાસ પદ્માવતી દેવીની આરાધના સહિત મંત્રેલા જળની ધાર દેતા. તેઓ બધા અમદાવાદ પહોંચ્યા ત્યાં સુધી તેઓને બીજી કશી તકલીફ પડી નહિ, પરંતુ અમદાવાદ કોટની બહા૨ અંગ્રેજ સરકારના અમલદારોએ ચેપી રોગવાળા માણસોને નગરમાં કેટલાક દિવસ સુધી પ્રવેશવા ન દીધા. કેટલાક આમતેમ કરી છૂપી રીતે નગરમાં દાખલ થઈ ગયા. કેટલાક નગર બહાર જ પોતાનાં ઘર અને સ્વજનોને યાદ કરતાં મૃત્યુ પામ્યા. જ્યારે બધાને નગરમાં દાખલ થવા દેવામાં આવ્યા ત્યારે મહારાજશ્રી પણ ભઠ્ઠીની પોળના ઉપાશ્રયે પાછા પધાર્યા. એ વખતે કોઈકે ટીકા કરતાં કહેલું કે મહારાજશ્રીની નિશ્રા છતાં સંઘને ઉપદ્રવ કેમ થયો ? મહારાજશ્રી ટીકાકારોને કહેતા કે જે બનવાનું હોય Jain Education International ૩૯૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy