SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ નિર્મળ પરિણતિ અંતર લાવી, આતમતત્ત્વ નિપાવો રે.’ શ્રી શુભવિજયજીના કાળધર્મ પછી અમદાવાદના સંઘે એમની પાટે શ્રી વીરવિજયને બિરાજમાન કરી મોટો ઉત્સવ કર્યો હતો. શ્રી શુભવિજયજીના કાળધર્મ પછીનાં વર્ષોનો શ્રી વીરવિજયજીનો જીવનવૃત્તાંત પ્રમાણમાં બહુ ઓછો મળે છે. પરંતુ તેનું એક કારણ એ છે કે તેઓ પોતાનો ઘણોખરો સમય સ્વાધ્યાય અને લેખનમાં વિતાવતા હતા. એમણે જે વિશાળ લેખનકાર્ય કર્યું છે તે જોતાં એ માટે સ્થળની સ્થિરતા અને એકાન્તની ઘણી અપેક્ષા રહે છે. એમણે મુખ્યત્વે રાજનગર અમદાવાદમાં ચાતુર્માસ કરી પોતાનું આ લેખનકાર્ય કર્યું છે. ગુરુ મહારાજના કાળધર્મ પછી શ્રી વીરવિજયજી મહારાજ પોતાના શિષ્યો સાથે લીંબડી, વઢવાણ વગેરે કાઠિયાવાડનાં સ્થળોમાં વિચર્યા પછી દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં પધાર્યા. સુરત શહેરના સંઘે ઘણી ધામધૂમ સાથે તેમનું સામૈયું કર્યું. સુરતમાં મહારાજશ્રીએ પોતાની વ્યાખ્યાનશક્તિ અને શાસ્ત્રજ્ઞાન વડે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. તેમણે તેઓને ઉપધાન વગેરે કરાવ્યાં. શ્રી વીરવિજયજીનો આવો ઉત્કર્ષ જોઈને તથા ઉપધાન કરાવતાં પહેલાં પોતાની સંમતિ ન લીધી એથી સ્થાનિક યતિઓને ઈર્ષ્યા થઈ. તેમને પોતાનું વર્ચસ્વ ઓછું થતું લાગ્યું. તેઓએ તેજોદ્વેષથી પ્રેરાઈને ઝઘડો ચાલુ કરાવ્યો. આ ઝઘડો એટલો બધો વધી ગયો કે સરકારને વચ્ચે પડવું પડ્યું. બ્રિટિશ સરકારના ટોપીવાળા અંગ્રેજ સાહેબો જ્યારે જાણ્યું કે યતિઓએ તિથિનો ઝઘડો ચાલુ કર્યો છે ત્યારે લવાદ તરીકે જ્યોતિષાચાર્ય શાસ્ત્રીઓને બોલાવી, બંને પક્ષને તેઓએ બરાબર સાંભળ્યા. શાસ્ત્રીઓએ કહ્યું કે, તિથિના વિષયના આ ઝઘડાની બાબતમાં શ્રી વીરવિજયજીનો પક્ષ સાચો છે. આથી અંગ્રેજોએ યતિઓને શિક્ષા કરી. આમ, સુરતમાં મહારાજશ્રીના પક્ષનો વિજય થયો. સુરતથી વિહાર કરી મહારાજશ્રી પાછા અમદાવાદ પધાર્યા. એ વખતે મહારાજશ્રીના વ્યાખ્યાનમાં આવતા બહોળા શ્રોતાવર્ગને માટે શહેરની મધ્યમમાં એક વિશાળ ઉપાશ્રયની આવશ્યકતા હતી. એ માટે સંઘ તરફથી ભઠ્ઠીની પોળે જગ્યા લઈ ત્યાં ઉપાશ્રય બાંધવામાં આવ્યો અને એ ઉપાશ્રયમાં શ્રી વીરવિજયજીની પધરામણી કરાવવામાં આવી. Jain Education International For Private & Personal Use Only ૩૮૯ www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy